કેન્દ્ર સરકારે ગામડાઓ માટે એક મોટું પગલું ઉઠાવ્યું છે. સરકારે પશુઓ માટે એમ્બ્યુલન્સ ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે.
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગામડાઓ માટે વધુ એક નિર્ણય લેવાયો
સરકારે પશુઓ માટે એમ્બ્યુલન્સ ચાલુ કરવાનો નિર્ણય કર્યો
એમ્બ્યુલન્સ ચલાવવા માટે 9800 કરોડનું ફંડ
નેશનલ આયુષ મિશનને 2025-26 સુધી ચાલુ રાખવાનો પણ નિર્ણય
પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગામડાઓ માટે બીજો મોટો નિર્ણય લેવાયો છે આ પહેલાની કેબિનેટની બેઠકમાં ગામડાઓમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ સુવિધાનો નિર્ણય લેવાયો હતો. કેન્દ્રીય કેબિનેટના નિર્ણયોની જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે પશુપાલન અને બીજા ક્ષેત્રોને ફાયદો પહોંચાડવામાં આવશે.
આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બ્રીડનો વિકાસ કરવામાં આવશે
તેમણે કહ્યું કે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બ્રીડનો વિકાસ કરવામાં આવશે, પશુઓ માટે એમપ્યુલન્સ ચલાવવામાં આવશે. ઠાકુરે જણાવ્યું કે કેન્દ્ર સરકારે પશુઓ માટે એમ્બ્યુલન્સ ચલાવવા માટે 9800 કરોડનું ફંડ પુરુ પાડશે હકીકતમાં આ યોજના 54 હજાર કરોડની છે.
નેશનલ આયુષ મિશનને 2025-26 સુધી ચાલુ રાખવાનો પણ નિર્ણય
કેન્દ્ર સરકારે નેશનલ આયુષ મિશનને 2025-26 સુધી ચાલુ રાખવાનો પણ નિર્ણય કર્યો છે. જે હેઠળ આયુષ પ્રણાલીની શિક્ષણ, પ્રશિક્ષણનું વિસ્તરણ કરવામાં આવશે. આ યોજના હેઠળ 12 હજાર આયુષ હેલ્થવેલનેશન સેન્ટર બનાવવામાં આવશે તથા 6 આયુષ કોલેજ બનાવાશે. 12 પીજી ઈન્સ્ટીટ્યુટ બનાવવામાં આવશે. કેન્દ્ર સરકારે દેશના અલગ અલગ હિસ્સામાં કોર્ટ હોલ બનાવવા, કોર્ટમાં સુવિધાઓ વધારવા તથા માળખાકીય સુવિધાઓ વધારવાનો પણ નિર્ણય કર્યો છે.
ડીએ 11 ટકા વધીને 28 ટકા થયું
પ્રધાનમંત્રી મોદીની આગેવાનીમાં આજે મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારીના ભથ્થું 28 ટકા કરવાનો પણ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય કર્મચારીઓના DAના ત્રણ હપ્તા આવવાના બાકી હતા. કોરોના સંકટ દરમ્યાન સરકાર તરફથી તેના પર રોક લગાવાઈ હતી. હવે DA વધ્યા બાદ સપ્ટેમ્બરથી બંપર સેલેરી વધીને આવશે.
આજે લગભગ દોઢ વર્ષ બાદ વર્ચ્યુઅલ નહીં પરંતુ પ્રત્યક્ષ મોદી કેબિનેટ મીટિંગ મળી હતી જેમાં આ મોટો નિર્ણય લેવાયો હતો. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારીના ભથ્થામાં સીધો 11 ટકાનો વધારો કરાયો હતો જે હવે વધીને 28 ટકા થયો છે. આ મોંઘવારી ભથ્થાનો લાભ 1 જુલાઈથી કર્મચારીઓને મળશે. કેન્દ્રીય કર્મચારીઓના DAના ત્રણ હપ્તા આવવાના બાકી હતા. કોરોના સંકટ દરમ્યાન સરકાર તરફથી તેના પર રોક લગાવાઈ હતી. હવે DA વધ્યા બાદ સપ્ટેમ્બરથી બંપર સેલેરી વધીને આવશે.