જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મીન રાશિમાં ગુરૂ બૃહસ્પતિ ઉપરાંત બુધ, સૂર્ય, ચંદ્રમાની સાથે સાથે નેચ્યુન ગ્રહ હશે. એવામાં સૂર્ય-બુધની યુતિથી બુધાદિત્ય યોગ, ગુરૂ અને ચંદ્રની યુતિથી ગજકેસરી યોગ બનશે.
22 માર્ચથી શરૂ થશે ચૈત્રી નવરાત્રી
સૂર્ય-બુધની યુતિથી બનશે બુધાદિત્ય યોગ
ચૈત્રી નવરાત્રી પર બની રહ્યો છે શુભ સંયોગ
હિંદુ પંચાગ અનુસાર ચૈત્રી નવરાત્રીના આરંભ 22 માર્ચથી થઈ રહ્યો છે. આ વર્ષે નવરાત્રી પર ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે. જેના કારણે નવરાત્રિ ખૂબ જ શુભ માનવામાં આવી રહી છે. કારણ કે આ દિવસે એક જ રાશિમાં પાંચ-પાંચ ગ્રહોની યુતી થઈ રહી છે. જેનાથી ઘણા મહાયોગ પણ બની રહ્યા છે.
બની રહ્યા છે આ યોગ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મીન રાશિમાં ગુરૂ બૃહસ્પતિ ઉપરાંત બુધ, સૂર્ય, ચંદ્રમાની સાથે સાથે નેચ્યુન ગ્રહ હશે. એવામાં સૂર્ય-બુધની યુતિથી બુધાદિત્ય યોગ, ગુરૂ અને ચંદ્રની યુતિથી ગજકેસરી યોગ, તેની સાથે જ ગુરૂ મીન રાશિ કેન્દ્રમાં હોવાથી હંસ યોગ બની રહ્યો છે, જે પંચમહાપુરૂષ યોગ માનવામાં આવે છે. જેની અસર અને લાભ આ રાશિઓના જાતકને મળશે. જાણો કઈ છે આ લકી રાશિઓ.
મિથુન
મીન રાશિમાં ગ્રહોની યુતિ બનતા યોગોથી મિથુન રાશિના જાતકોને તેનો ખાસ લાભ પ્રાપ્ત થશે. માતા દુર્ગાની કૃપાથી આ રાશિના જાતકોને આ ક્ષેત્રમાં સફળતા મળશે. સ્ટૂડન્ટસ માટે આ સમય સારો છે. આ સમયે તમને કોમ્પિટેટીવ પરિક્ષામાં સફળતા પ્રાપ્ત થશે. પરિવારની સાથે સારો સમય પસાર કરી શકશો.
કર્ક
ગ્રહોની યુતિથી કર્ક રાશિના જીવનમાં ખુશીઓ ચાર-ચાંદ લાવશે. આ સમયે તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. અટકેલા કામ પુરી થશે. માતા દુર્ગાની ઉપાસના તમને નોકરીમાં પ્રમોશન આપવી શકે છે.
કન્યા
કન્યા રાશિના જાતકો માટે પણ ચૈત્ર નવરાત્રીમાં થતા ગ્રહોના સંયોગથી લાભ મળશે. જો તમે વાહન અથવા ઘર ખરીદવા માંગો છો તો આ શુભ સાબિત થશે. કાર્યસ્થળમાં તમારા કામની પ્રસંશા થશે. સાથે જ વધારે સહયોગ પ્રાપ્ત થશે. તેના આધાર પર તમને ઈન્ક્રીમેન્ટ પણ મળી શકે છે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકો માટે નવરાત્રી ખૂબ જ ખાસ રહેવાની છે. આ સમયે તમારી પર્સનલની સાથે પ્રોફેશનલ લાઈફ સારી થશે. નવી નોકરી શોધી રહેલા જાતકોને સફળતા મળવાની છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.