પોતાના આખાબોલા સ્વભાવને કારણે જાણીતા પાકિસ્તાની ક્રિકેટર અને પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શાહીદ આફ્રિદીએ ફરી એક વાર ભારતીય ક્રિકેટર પર નિશાન સાધ્યુ છે. આ વખતે તેમણે ગોડ ઓફ ક્રિકેટ સચિન તેંડૂલકર પર નિશાનો સાધ્યો છે અને કહ્યું છે કે તે શોએબ અખ્તર સામે રમવાથી ડરતા હતા.
અખ્તર સામે સચિનને લાગતી બીક
આફ્રીદીએ કર્યો ઇન્ટરવ્યૂમાં બફાટ
શાહીદ આફ્રિદીએ 9 વર્ષ પહેલા તેના પુસ્તકમાં લખ્યુ હતુ કે સચિન શોએબની બૉલિંગથી ડરતા હતા અને હવે ફરી એક વાર તે આ વાતને લઇને ભારતીય ક્રિકેટ ટીમ પર સવાલ ઉઠાવી રહ્યાં છે. સાથે જ યુટ્યુબ પરના એક ઇન્ટરવ્યૂમાં પણ તેણે કહ્યું હતુ કે, સચિન ક્યારેય નહી સ્વિકારે પરંતુ દુનિયાના મોટા મોટા બેટ્સમેન શોએબથી ડરતા હતા.
શાહિદ આફ્રિદીએ કહ્યું, 'જ્યારે તમે મિડ-ઓફ અથવા કવર પર ફિલ્ડિંગ કરી રહ્યા હો ત્યારે તમે તેને જોઈ શકો છો. તમને બેટ્સમેનની બોડી લેંગ્વેજ જાણવા મળશે. દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન સચિનને શોએબે બેકફૂટ પર ધકેલ્યા હતા.
શાહિદ આફ્રિદીએ કહ્યું, 'સચિન તેંડુલકર શોએબ અખ્તર અને સઈદ અજમલની સામે ડરી ગયો હતો. હંમેશાં નહીં પરંતુ ઘણીવાર સચિનના પગ શોએબ અખ્તર સામે ધ્રૂજવા લાગતા હતા. આફ્રિદીએ કહ્યું, 'સચિન 2011ના વર્લ્ડ કપમાં સઈદ અજમલથી પણ ડરી ગયો હતો. કેટલીકવાર ખેલાડીઓ પર દબાણ આવે છે અને પછી વસ્તુઓ તેમના માટે મુશ્કેલ બની જાય છે.
9 વર્ષ પહેલા આફ્રિદીએ તેના પુસ્તકમાં કહ્યું હતું કે 'મેં જાતે જ જોયું છે. હું સ્કવેર લેગ પર ઉભો રહેતો. અખ્તર બોલિંગ કરવા આવ્યો ત્યારે સચિનના પગ ધ્રુજતા હતા. જણાવી દઈએ કે આ અગાઉ શાહિદ આફ્રિદીએ કહ્યું હતું કે તેની ટીમે ક્રિકેટ મેદાન પર ભારતને ઘણી વખત હરાવ્યું છે.
ભારત સામે વર્ષ 1999 માં મેં ચેન્નાઇમાં 141 રન બનાવ્યા હતા. અગાઉ પાકિસ્તાની ટીમ મેનેજમેન્ટ મને ભારત પ્રવાસ પર લઈ જતું ન હતું, પરંતુ વસીમભાઇએ માને ટેકો આપ્યો હતો. શાહિદ આફ્રિદીએ કહ્યું હતું કે પાકિસ્તાને મોટાભાગના પ્રસંગોમાં ટીમ ઈન્ડિયાને ખરાબ રીતે પરાજિત કર્યો છે અને મેચ બાદ તેઓ અમારી પાસે માફી માંગતા હતા.