બોટાદ લઠ્ઠાકાંડમાં જે કંપનીમાંથી કેમિકલ ચોરી કરાયુ હતુ તે AMOS કંપની લાયસન્સ વિના ચાલતી હોવાનું સામે આવતા પોલીસ દ્વારા નિવાસ સ્થાને જઇ હાથ ધરાઇ તપાસ
AMOS કંપનીના ડિરેક્ટરોના ઘરે તપાસ
SIT દ્વારા ડિરેક્ટરોના નિવાસ સ્થાને તપાસ
બોડકદેવ અને સેટેલાઈમાં આવેલા ઘરોમાં તપાસ
બોટાદ લઠ્ઠાકાંડમાં AMOS કંપનીના ડિરેક્ટરો સામે પોલીસે સકંજો કસ્યો છે. SIT દ્વારા ચારેય ડિરેક્ટરોના નિવાસ સ્થાને તપાસ કરવામાં આવી રહી છે.બોડકદેવ અને સેટેલાઇટમાં ડિરેક્ટરોના ઘરે તપાસ દરમિયાન બે ડિરેક્ટરો મળી આવ્યા. બંને ડિરેક્ટરોને પોલીસમાં હાજર રહેવા નોટિસ આપવામાં આવી. ચંદુ પટેલ અને પંકજ પટેલને હાજર રહેવા નોટિસ આપવામાં આવી. બરવાળા પોલીસ દ્વારા ડિરેક્ટરને સમન્સ પણ પાઠવવામાં આવ્યુ અને ચારેય વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી. જ્યારે એક ડિરેક્ટર રજત ચોક્સી ઘર બંધ કરીને ફરાર થયુ હોવાનું સામે આવ્યું છે.
AMOS કંપનીના સંચાલકને પાઠવ્યુ સમન્સ
બોટાદના બરવાળામાં ઝેરી કેમિકલ કાંડ મામલે AMOS કંપની સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. AMOS કંપનીના ચારેય સંચાલકોને પોલીસનું સમન્સ અપાયુ છે. ચારેયને બરવાળા પોલીસ સમક્ષ હાજર થવા સમન્સ અપાયુ છે. પંકજ પટેલ, સમીર પટેલ તથા રજિત ચોક્સી, ચંદુ પટેલને બરવાળા પોલીસ સમક્ષ હાજર થવા આદેશ અપાયો છે.
લઠ્ઠાકાંડમાં AMOS કંપનીનો શું છે રોલ
લઠ્ઠાકાંડનો આરોપી જયેશ કે જે કેમિકલ ચોરીને બુટલેગર સુધી પહોંચાડતો હતો. આ આરોપી જયેશ AMOS કંપનીમાં કામ કરતો હતો. અમદાવાદના પીપળજમાં આ કંપની આવેલી છે. આરોપી જયેશે બુટલેગરને મોકલેલા દારૂના જથ્થામાં કંપનીમાં ઉપલબ્ધ મિથેનોલનો ઉપયોગ કરાતો કે જે એક પ્રકારે ઝેર જ કહી શકાય. આ જથ્થો AMOS ફેક્ટરીમાંથી જ સપ્લાય કરાતો. વળી જાણવા મળ્યુ હતું કે AMOS કંપની AMCના લાયસન્સ રિન્યુ કર્યા વગર ચાલે છે.
કોણ છે આરોપી સમીર પટેલ ?
AMOS કંપનીનો માલિક સમીર પટેલ રાજકીય વગ ધરાવે છે. રાજ્યના એક પૂર્વ મંત્રી અને ધારાસભ્ય સાથે પણ સારા એવા સબંધ છે. સમીર પટેલ કે જે બેટ દ્રારકા મંદીર ટ્રસ્ટમાં ઉપપ્રમુખ છે. સમીર પટેલે રાજકીય વગનો ઉપયોગ કરીને લાયસન્સ રિન્યુ નથી કર્યું. નોંધનીય છે કે, અમદાવાદના પિપળજમાં ગેરકાયદેસર કેમિકલનો ધંધો ચાલે છે.આ કેમિકલ કંપનીઓ સરકારી નિયમોને ઘોળીને પી રહી છે.
AMOS કંપનીમાંથી કેમિકલની કરતો ચોરી
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના પીપળજના દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી AMOS કંપનીમાં મેનેજરની નોકરી કરતાં જયેશે ગોડાઉનમાંથી કેમિકલની ચોરી કરી બુટલેગરોને આપી હતી. જે બાદમાં તેમાં પાણીનું મિશ્રણ કરી બુટલેગરો દેશી દારૂ તરીકે વેચાણ કરતાં હતા. જેથી હવે આ લઠ્ઠાકાંડ નહીં પણ કેમિકલ કાંડ હોવાનો ખુલાસો થયો હતો.