હાઇકોર્ટે ચિંતન વૈષ્ણવની તરફેણમાં ચુકાદો આપ્યો છે. અને 3 મહિનામાં ચિંતન વૈષ્ણવને ફરજ પર લેવા સરકારને આદેશ કર્યો છે.
દાહોદના પૂર્વ મામલતદાર ચિંતન વૈષ્ણવની હાઇકોર્ટમાં જીત
છેલ્લા 3 વર્ષથી સરકાર સામે લડી રહ્યાં હતાં ચિંતન વૈષ્ણવ
યોગ્ય કારણ વિના ચિંતન વૈષ્ણવને ફરજ મુક્ત કરાયા હતા
દાહોદના પૂર્વ મામલતદાર ચિંતન વૈષ્ણવની હાઇકોર્ટમાં જીત
દાહોદના પૂર્વ મામલતદાર ચિંતન વૈષ્ણવની હાઇકોર્ટમાં જીત થઇ છે. છેલ્લા 3 વર્ષથી સરકાર સામે ચિંતન વૈષ્ણવ લડી રહ્યાં હતાં. યોગ્ય કારણ વિના સરકારે ચિંતન વૈષ્ણવને ફરજ મુક્ત કર્યા હતા. જે મામલે ચિંતન વૈષ્ણવે સરકારના નિર્ણય સામે હાઇકોર્ટમાં અપીલ કરી હતી.
સરકારના નિર્ણય સામે ચિંતન વૈષ્ણવે હાઇકોર્ટમાં કરી હતી અપીલ
સત્યની હંમેશા જીત થાય છે. આ ઉક્તિ હાલ દાહોદાના પૂર્વ મામલતદાર ચિંતન વૈષ્ણવના કિસ્સામાં સાચી પડી છે. પૂર્વ મામલતદાર ચિંતન વૈષ્ણવ અને સરકાર વચ્ચે ચાલી રહેલી કાયદાકીય લડાઈમાં ચિંતન વૈષ્ણવની જીત થઈ છે. પૂર્વ મામલતદાર ચિંતન વૈષ્ણવ આજથી ત્રણેક વર્ષ પહેલાં દાહોદ ખાતે ફરજ પર હતા ત્યારે કોઈ ઠોસ કારણો ન હોવા છતાં રાજ્ય સરકારે ફરજમુક્ત એટલે કે સસ્પેન્ડ કરી દીધા હતા. ચિંતન વૈષ્ણવને ફરજમુક્ત કરી દેવાતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.
ચિંતન વૈષ્ણવને છેવાડાના ગામમાં બદલી કરી બરતરફ કર્યા હતા
પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી ચિંતન વૈષ્ણવ રાજ્ય સરકારના આદેશ સામે હાઈકોર્ટમાં કાયદાકીય લડાઈ લડ્યા.અને આખરે જીત થઈ. ઉલ્લેખનીય છે કે, ચિંતન વૈષ્ણવ કામગીરી ઉચ્ચ અધિકારીઓને આંખના કણાની જેમ ખૂંચતી હતી. જેને લઈને ચિંતન વૈષ્ણવને રાજ્યના છેવાડાના વિસ્તારમાં બદલી કરી 2 માર્ચ 2019ના રોજ ફરજમુક્ત કરવાનો આદેશ રાજ્ય સરકાર દ્વારા કરાયો હતો.
સિનિયોરિટી પ્રમાણે તમામ હક-હિસ્સો આપી ફરજ પર લેવા HCનો આદેશ
જો કે, છેલ્લા ત્રણ વર્ષની લડત બાદ હાઇકોર્ટે ચિંતન વૈષ્ણવની તરફેણમાં ચુકાદો આપ્યો છે. અને 3 મહિનામાં ચિંતન વૈષ્ણવને ફરજ પર લેવા સરકારને આદેશ કર્યો છે. આ સાથે સિનિયોરિટી પ્રમાણે તમમ હક-હિસ્સો આપી ફરજ પર લેવા સરકારને આદેશ કરવામાં આવ્યો છે.