રાજ્યમાં ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર મળી રહ્યા છે. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને હવે ખાનગી યુનિવર્સિટીમાં પણ શિષ્યવૃતિનો લાભ આપી દેવામાં આવ્યો છે.
ખાનગી યુનિવર્સિટીમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીને મળશે શિષ્યવૃતિ
કેન્દ્ર સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજના અંતર્ગત આ લાભ વિદ્યાથીઓને મળવા પાત્ર થશે. જે બાબતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે પરિપત્ર જાહેર કરી માહિતી આપી છે. જે મુજબ વર્ષ 2019-20 સુધી ખાનગી યુનિવર્સિટીમાં નોન FRC અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટી દ્વારા નક્કી કરવામાં આવેલી ચૂકવવામાં આવતી હતી. તેમજ વિદ્યાર્થી અભ્યાસક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી શિષ્યવૃત્તિની ફી ચૂકવવાનો મોટોનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
સામાજિક ન્યાય વિભાગ મંત્રી પ્રદીપ પરમારે શું કહ્યું?
પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બાબતે સામાજિક ન્યાય વિભાગના કેબિનેટ મંત્રી પ્રદીપ પરમારે નિવેદન આપ્યું હતું કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત રાજ્યમાં પણ શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવશે. જે મુજબ નિર્ણય કરી શિષ્યવૃતિ આપવાનો પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વર્ષ 2019-2020 સુધી શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવેલી હતી.પણ વર્ષ 2020-21થી બાકીના અભ્યાસક્રમો માટે શિષ્યવૃત્તિ ચૂકવી શકાઈ ન હતી. તેવા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચૂકવવાના હેતુસર રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
FRC દ્વારા નક્કી થાય તે મુજબની ફી શિષ્યવૃતિ તરીકે ચુકવવા પરિપત્ર
પરિપત્રમાં એ પણ સૂચન કરવામાં આવ્યું છે કે હાલ વર્ષ માટે ફી નક્કી કરવાની બાબતની હાલ કાર્યવાહી હેઠળ છે ત્યારે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટીમાં ફી રેગ્યુલેટરી કમિટી જે ફી અને શિષ્યવૃતિ નક્કી કરે તે મુજબ આ વિદ્યાર્થીઓએ ફી આપવાઆની રહેશે.