શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી મહિલા ડોક્ટરને તેના ડોક્ટર પતિએ લગ્નના ત્રણ મહિના બાદથી જ શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માગણી કરીને પત્ની અને દીકરીને ઘરમાંથી કાઢી મૂકી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મહિલા ડોક્ટરનાં જનતાનગર પાસે આવેલ ક્લિનિક પર જઈને પતિએ જાનથી મારી નાખવાની પણ ધમકી આપતા રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મહિલાનો પતિ રાતે આવીને બોલાચાલી કરીને ઝઘડો કરતો હતો
ક્લિનિક પર આવીને જાનથી મારી નાખવાની ધમકી આપતો
ત્યારબાદ મહિલા અને તેમની દીકરી વસ્ત્રાલ ખાતે રહેતાં હતાં
વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ જિવમ રેસિડન્સીમાં રહેતી અને જનતાનગર પાસે ક્લિનિક ધરાવતાં મહિલા ડોકટરે પોલીસ સ્ટેશનમાં પતિ તેમજ સાસિરયાં વિરુદ્ધમાં રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપ પ્રમાણે ચાંદલોડિયામાં આવેલ તારંગા હિલમાં રહેતા ડોક્ટર અનિલકુમાર સાથે તેનાં વર્ષ ૨૦૦૪માં લગ્ન થયાં હતાં. મહિલાને એક દીકરી પણ છે.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ મહિલાને પતિએ લગ્નના ત્રણ મહિના સુધી સારી રીતે રાખ્યા બાદ તને સારી રીતે રહેતાં આવડતું નથી અને કોઈ પણ નાની મોટી વાતોમાં લઈને રોજ ઝઘડો કરતા હતા.વારંવાર મહિલાને તેનાં માતા પિતાને ઘરે મોકલી દેતા હતા. મહિલા જયારે તેના ઘરેથી પૈસા લઈને આવે તો ઘરમાં રાખતા હતા. સાથે મહિલાના સાસુ તથા સસરા અને જેઠ જેઠાણી પણ મહિલાને શારીરિક ત્રાસ આપતા હતા. જેથી મહિલાને ત્રણ વર્ષ પહેલાં દીકરી સાથે કાઢી મૂકી હતી. ત્યારબાદ મહિલા અને તેમની દીકરી વસ્ત્રાલ ખાતે રહેતાં હતાં.
ગઈ કાલે મહિલાનો પતિ રાતે આવીને બોલાચાલી કરીને ઝઘડો કરતો હતો અને ક્લિનિક પર આવીને જાનથી મારી નાખવાની ધમકી આપતાં રામોલ પોલીસે ડોક્ટર પતિ, સાસુ-સસરા-નણંદ વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે.