કહેવામાં આવે છે કોઇ પણ સફળ પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ રહેલો છે.
ચાણક્ય નીતિમાં સંપૂર્ણ સ્ત્રીના ગુણ
આવી સ્ત્રીઓનો પતિ ભાગ્યશાળી
પતિ-પત્નીમાં ઝઘડો પણ નહી થાય
ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યુ છે કે દરેક સ્ત્રીઓમાં ખાસ ગુણ હોય છે અને કેટલાક ગુણો ધરાવતી સ્ત્રી જો કોઇના જીવનમાં આવે તો તેનું ભાગ્ય ખુલી જાય છે. બંધ કિસ્મત ખુલી જાય છે અને જીવનમાં ક્યારેય દુઃખ આવતુ નથી.
માત્ર પતિ-પત્ની જ નહી પરંતુ આખો પરિવાર સુખ ભોગવે છે. આચાર્ય ચાણક્યના કહ્યાં અનુસાર આ ખાસ ગુણ નીચે પ્રમાણે છે.
સંતુષ્ટ રહેવાવાળી સ્ત્રી
ઘણા લોકો એવા હોય છે કો કોઇ વસ્તુને જોઇને તેને પામી લેવાની લાલસા હોય છે. ઘણી મહિલાઓમાં આ આદત હોય છે અને આ ચક્કરમાં ઘણો ફાલતુ ખર્ચો થઇ જતો હોય છે. જે સ્ત્રીમાં સંતોષ હોય છે તે સ્ત્રી ભાગ્યવાન હોય છે.
ધાર્મિક વિચાર ધરાવતી સ્ત્રી
ધર્મનું દરેકના જીવનમાં એક અલગ મહત્વ છે અને તે સારો આચાર વિચાર શીખવાડે છે. સંસ્કારી બનાવે છે અને તેના માટે ચાણક્ય કહે છે કે ધર્મના રસ્તા પર ચાલનારી સ્ત્રીનો પતિ ખુબ ભાગ્યશાળી હોય છે અને તેમના પર ભગવાનની કૃપા થાય છે.
મીઠુ બોલનારી સ્ત્રી
મીઠુ બોલનારી સ્ત્રીના કારણે ઘણી પરિસ્થિતિ નોર્મલ થઇ જાય છે. કેટલીક વાર વગર કારણના ઝઘડાને મીઠુ બોલનારી સ્ત્રી સોલ્વ કરી લે છે અને વારંવાર ક્રોધિત થતી નથી.
ધેર્ય રાખનારી સ્ત્રી
સારા જીવન માટે ધીરજ ધરવી જરૂરી બની જાય છે ત્યારે જો તમારા જીવનમાં પણ એવી કોઇ સ્ત્રી છે જેનામાં ધેર્ય છે તો તેનો પતિ ખુબ ભાગ્યશાળી હશે.