ગુજરાતમાં જૂની પેન્શન યોજના (OPS)ને લાગુ કરવાની માંગ ચૂંટણીના મુખ્ય મુદ્દો પૈકીનો એક; OPS પર કોંગ્રેસ અને AAPની રાજનીતિ
OPS પર કોંગ્રેસ અને AAPની રાજનીતિ
NPS 1 એપ્રિલ 2019થી DAમાં 14 ટકાનો વધારો
કોંગ્રેસ અને AAPએ આપ્યા પોતાની સરકારના ઉદાહરણ
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પૂરો જોર લગાવી દીધો છે પરંતું આ બંન્નેથી કંઈ વિેશેષ ભાજપ પૂરજોશમાં દમ મારી રહી છે. અત્યારે ત્રણેય પાર્ટીઓ વચનો અને વાયદા આપવાની વણઝાર ચાલુ કરી દીધી છે. આ બધાની વચ્ચે ગુજરાતમાં જૂની પેન્શન યોજના (OPS)ને લાગુ કરવાની માંગ ચૂંટણીના મુખ્ય મુદ્દો પૈકીનો એક છે.
OPS પર કોંગ્રેસ અને AAPના વચનો
કોંગ્રેસ અને AAPએ પણ તેને પોતાના ચૂંટણી એજન્ડામાં સામેલ કર્યો છે. રાજ્યમાં સત્તા પર આવતાં તેનો અમલ કરવાનું વચન આપ્યું છે. જૂની પેન્શન યોજના બાબતે લાખો કર્મચારીઓનું સમર્થન મેળવવાનું એક મોટું લક્ષ્ય છે. 182 બેઠકો માટે ગુજરાત વિધાનસભા ચૂંટણી 01 અને 05 ડિસેમ્બરે એમ બે તબક્કામાં મતદાન થવાનું છે. ગુજરાત સરકારે 1 એપ્રિલ 2005 ના રોજ અથવા તે પછી સેવામાં જોડાનારા કર્મચારીઓ માટે નવી અંશદાયી પેન્શન યોજના શરૂ કરી હતી. પાપ્ત માહિતી અનુસાર તે મૂળ પગાર અને મોંઘવારી ભથ્થા (DA)ના 10 ટકા જેટલું આપશે.
10 ટકાના સામે 14 ટકા આપશે
એનપીએસ ફંડમાં કર્મચારી ક્ન્દ્રની યોજના હેઠળ સરકાર 1 એપ્રિલ 2019થી કર્મચારીના પગાર અને ડીએના 10 ટકાના ની સામે 14 ટકા આપશે. ગુજરાતમાં કર્મચારીઓના વિરોધને પગલે સરકારે કહ્યું હતું કે એપ્રિલ 2005 પહેલા ફરજમાં જોડાયેલા કર્મચારીઓને નવી પેન્શન નીતિ લાગુ થશે નહીં. જેમાં ફંડમાં 10 ટકાથી વધારીને 14 ટકા કરવાનું પણ વચન આપ્યું હતું. કર્મચારીએ ઓપીએસને ફરીથી લાગુ કરવાની માંગ સાથે કર્મચારીઓએ ગુજરાતમાં સરકાર સામે ભારે આંદોલન કર્યું હતું કારણ કે તેઓ માને છે કે નવી પેન્શન યોજના નિવૃત્ત કર્મચારીઓના હિતમાં નથી.
બંન્ને પાર્ટીએ પોતાની સરકારના ઉ.દા આપ્યા
ભાજપ સરકાર દ્વારા કર્મચારીઓની માંગ ન સ્વિકારવમાં આવતા કોંગ્રેસ અને અરવિંદ કેજરીવાલની નેતૃત્વવાળી AAP પાર્ટીએ વચન આપ્યું છે કે, તેઓ સરકારમાં આવશે ઓફિસ ફરીથી શરૂ કરશે. આંદોલન કરી રહેલા કર્મચારીઓને આશ્વસન આપતા કહ્યું હતું કે, નવી પેન્શન યોજનાને બંધ કરશે અને ઓપીસ શરૂ કરશે. બન્ને પાર્ટીએ રાજસ્થાન, છત્તીસગઢ (જ્યાં કોંગ્રેસ સત્તામાં છે) અને પંજાબ (આપ) તેમની સરકારોના ઉદાહરણો ટાંક્યા કહ્યું હતું. આ બધાની વચ્ચે હવે જોવું રહ્યું કે, કોંગ્રસ-AAPના દાવપેચ સામે ભાજપ સરકારી કર્મીને મનાવવામાં રહેશે સફળ?
મુખ્ય માંગણીઓ ન સંતોષાઈ?
સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોના સંગઠન અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યકારી પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા કહ્યું હતું કે અમે 15 માંગણીઓ સાથે આંદોલન શરૂ કર્યું હતું.
સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોના સંગઠન અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યકારી પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા કહ્યું હતું કે અમે 15 માંગણીઓ સાથે આંદોલન શરૂ કર્યું હતું. મુખ્ય માંગણીઓમાં ઓપીએસ ફરી શરૂ કરવી અને ફિક્સ પગારનો મુદ્દો સ્વીકારવામાં આવ્યો નથી. સરકારે એક કમિટી બનાવી હતી. તેણે કહ્યું કે તે NPS ફંડમાં તેનું યોગદાન વધારશે પરંતુ કોઈ સૂચના જારી કરવામાં આવી નથી. તેમણે જણાવ્યું કે લગભગ સાત લાખ સરકારી કર્મચારીઓ છે જેઓ ઓપીએસની માંગ માટે દબાણ કરી રહ્યા છે.