કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં બીજા 4 નવા એરપોર્ટ બનાવામાં આવશે જે મુદ્દે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્યએ માહિતી આપી છે. સાથેજ તેમણે 100 દિવસની તેમની ખાસ યોજનાઓ પુરી કરવાનો પણ ઉલ્લેખ કર્યો છે.
કેન્દ્ર સરકાર બનાવશે 4 નવા એરપોર્ટ
કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્યએ કરી મોટી જાહેરાત
ઉડ્ડયન મંત્રાલય દ્વારા 100 દિવસની યોજના બનાવામાં આવી
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધ્યાએ કેન્દ્ર સરકારની યોજનાઓને અંગે જાણકારી આપતા કહ્યું કે દેશમાં વધું ચાર એરપોર્ટ બનાવા છે. સાથેજ તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા એરપોર્ટની આધારશીલા પણ જલ્દી મુકવામાં આવશે.
We'll lay the foundation of 4 new airports. First would be the airport in Kushinagar (UP), it'll have the capacity for successful landing of Airbus 321 and Boeing 737 flights. Kushinagar will become the focal point of Buddhist circuit: Civil Aviation Minister Jyotiraditya Scindia pic.twitter.com/y6GDv9BRc1
સૌથી પહેલા એરપોર્ટ ઉત્તરપ્રદેશના કુશીનગરમાં બનશે. જે એરપોર્ટ બાનાવા પાછળ 255 કરોડનો ખર્ચો આપવામાં આવશે. સાથેજ ત્યા એરબસ 321 અને બોઈગ 737ની લેન્ડિગ પણ કરી શકાશે આ સિવાય ઉત્તરાખંડના દહેરાદૂનમાં પણ 457 કરોડના ખર્ચે એકપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જ્યાથી 1800 જેટલા યાત્રીઓ રોજ મુસાફરી કરી શકશે.
We have a 100-day plan for the Ministry on the basis of which we'll be answerable to the stakeholders transparently. Under this 100-day target, we have three main foundations - 1) infrastructure, 2) policy targets and 3) reforms initiative: Civil Aviation Min Jyotiraditya Scindia pic.twitter.com/JGtLrMv8uO
ત્રીપુરામાં આવેલ અગરતલા એરપોર્ટમાં પણ રોકાણ કરીને તેને નવેસરથી મોટું કરવામાં આવશે. જેના પાછળ 490 કરોડનો ખર્ચો કરવામાં આવશે. આ એરપોર્ટ તૈયાર થયા પછી અહીયાથી રોજના 1200 યાત્રીઓ મુસાફરી કરી શકશે. એજ રીતે જેવર એરપોર્ટ પર પણ 30 હજાર કરોડનું રોકાણ કરીને મુસાફરોને તમામ સુવિધાઓ આપવામાં આવશે.
100 દિવસની મોટી યોજના
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે સિંધિયાએ કહ્યું કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય 100 દિવસની યોજના બનાવી રહ્યું છે. સાથેજ તેમણે કહ્યું કે આ 100 દિવસની યોજનામાં ત્રણ પ્રાથમિકતા છે. જેમા ઈન્ફ્રાસ્ટ્રકચર સૌથી મહત્વનું છે. અલગ અલગ ક્ષેત્રે તેમણે એડનાઝરી ગ્રુપ પણ બનાવેલા છે. આ યોજનાઓને પૂરી કરવા માટે 30 ઓગસ્ટથી 30 નવેમ્બર સુધનો સમય લાગી શકે છે.