સોમનાથમાં પૂર્ણિમાંના ભવ્ય મેળાનો પ્રારંભ થયો છે. આ મેળામાં દરરોજ રાજ્યભરના લોકો પહોંચતા હોય છે. આ મેળામાં ગુજરાત રાજ્ય જેલ તંત્ર દ્વારા સાબરમતી જેલમા ભજીયાનો સ્ટોલ શરૂ કરવામાં આવ્યો. આ સ્ટોલ આકર્ષણનુ કેન્દ્ર બન્યુ છે.
ફરવા માટે આવી રહેલા લોકો સ્ટોલ ભજિયાનો સ્વાદ માણવા પહોંચી રહ્યા છે. રાજ્યના એડિશનલ ડી.જી.અને જેલ સુધારણ વહીવટ અધિકારી મોહન ઝા અને રાજકોટ જેલના સુપ્રિટેન્ડેન્ટ ધર્મેન્દ્ર શર્માની દેખરેખ હેઠળ સ્ટોલ લગાવવામાં આવ્યો.
જેમા અમદાવાદ સાબરમતી જેલના ચાર કેદી અને રાજકોટ સેન્ટ્રલ જેલનાં પાંચ કેદીનો સમાવેશ થાય છે. અહીં ભજીયા બનાવતા કેદીઓની કોઈ દેખરેખ રાખવામા આવતી નથી. કેદી પોતાના ગુન્હો ભુલી ભવિષ્યમાં મુકત થઈ દેશના સારા નાગરિક બની રહે તે મુખ્ય હેતુ છે.