ગાંધીનગર: કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ બળવંતસિંહને રાજય સરકારે ફાયદો કરાવ્યો છે. સરકારે બળવંતસિંહ રાજપૂતની કંપની પાસેથી 64.90 લાખ લિટર ખાદ્યતેલની ખરીદી કરી છે. ગોકુલ એગ્રી ઇન્ટરનેશનલ ઇન્ડીયા કંપની પાસેથી સરકારે ખાદ્યતેલની ખરીદી કરી છે. સરકારે છેલ્લા 2 વર્ષમાં કપાસિયા તેલની 2.02 કરોડ લિટરની ખરીદી કરી છે. રાજયમાં $ 48 પ્રતિ લીટરના ભાવે ગરીબોને વિતરણ કર્યુ હતું અને બળવંતસિંહ રાજપૂત GIDCના ચેરમેન અને ભાજપના નેતા છે.
આપને જણાવી દઇએ કે આ પહેલા તાજેતરમાં શરૂ થયેલ વિધાનસભાના નવા સત્રની શરૂઆત સમયે જ બળવંત સિંહને કોલેજને યુનિવર્સિટી જાહેર કરીને ભાજપ સાથે જોડાયાની ભેટ આપી હતી.જો કે ત્યારબાદ વધુ એકવાર રૂપાણી સરકારે બળવંતસિંહની કંપની પાસેથી ખાદ્યતેલની ખરીદી કરીને તેમણે બમણી ભેટ આપી હતી.