રામનવમીના દિવસે ખંભાતમાં થયેલી હિંસાના મામલે વધુ એક મોટો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો કે, જેમાં આરોપીઓએ ઘટનાને અંજામ આપતાં પહેલા 3 વખત મિટિંગ કરી હતી.
ખંભાતમાં હિંસા મામલે મોટો ખુલાસો
ઘટના પહેલા ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું
આરોપીઓએ 3 વખત મિટિંગ કરી હતી
ઘટના અગાઉ આરોપીઓએ 3 વખત મિટિંગ કરી હતી
રાજ્યમાં રામનવમીના દિવસે ખંભાતમાં શોભાયાત્રા પર પથ્થરમારો અને હિંસાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. ત્યારે હવે આ મામલે પોલીસ રોજ નવા સનસનીખેજ ખુલાસા કરી રહી છે.પોલીસે જણાવ્યું કે, આરોપીના રિમાન્ડ દરમિયાન મોટો ખુલાસો સામે આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ખંભાતમાં રામનવમી પર સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવા માટે આરોપીઓએ ઘટના પહેલા 3 વખત મિટિંગ કરી હતી.
તપાસમાં વધુ આરોપીઓના નામ સામે આવે તેવી શક્યતા
પોલીસના સુત્રોના જણાવ્યા અનુસાર રિમાન્ડમાં આરોપીઓએ જણાવ્યું હતું કે, આ ઘટના અગાઉ અલગ અલગ જગ્યાએ 3 વખત મિટિંગ થઈ હતી. જેમાં અલગ અલગ લોકોને પૈસા-હથિયાર માટે જવાબદારી સોંપાઈ હતી.આ મિટિંગોમાંની એક મિટીંગ મુખ્ય સુત્રધાર મૌલવી અને જામશેદના ઘરે થઈ હતી. જ્યારે હુમલા પહેલા મસ્જિદ પાસે પણ મિટિંગ થઈ હતી. જેથી પોલીસે હવે આ મામલે CCTV ફૂટેજ તેમજ કોલ ડિટેઇલ્સ એકત્ર કરવા પોલીસની કવાયત હાથ ધરી છે. તેમજ આરોપીઓની બેંક ડિટેઈલ્સની તપાસ કરી રહી છે. આ સાથે પોલીસના સુત્રો જણાવ્યું હતું કે, તપાસમાં વધુ આરોપીઓના નામ સામે આવે તેવી શક્યતા છે.
ઘટના શું હતી ?
ખંભાતમાં રામનવમી પર્વ પર શોભાયાત્રા નીકળી હતી તે દરમિયાન શોભાયાત્રા સક્કરપુરા વિસ્તારમાંથી પસાર થઇ હતી. ત્યારે કેટલાક તોફાની તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આમપોલીસ બંદોબસ્ત વચ્ચે તોફાની તત્વો બેફામ થયા હતાં. સક્કરપુરમાં પથ્થરમારામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ તોફાનીઓએ ચગડોળ ગ્રાઉન્ડ નજીક પણ કેટલીક દુકાનોમાં આગ લગાવી હતી. પોલીસે ટીયરગેસના સેલ છોડી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.