સામાન્ય માણસને રાશન કાર્ડ બનાવવા માટે ઘણા પાપડ વણવા પડે છે ત્યારે આ ગામમાં મંદિરોના નામે રાશનકાર્ડ છે અને તેમાંથી સામાન પણ લેવાય છે.
ભગવાનના નામે રાશનકાર્ડ
મંદિરના ફોટા પણ છપાયા છે
આ પ્રકારે કેવી રીતે રાશનકાર્ડ ઇશ્યુ થયા તે સવાલ
બંને રાશનકાર્ડમાં ભગવાનનુ જ નામ છે અને ફોટોના સ્થાન પર મંદિરની તસવીર લાગેલી છે. તેમાં ભગવાનની ઉંમર પણ દર્શાવેલી છે. રાજસ્થાન સરકારના પોર્ટલ પર તેની જાણકારી જોઇને આ મામલો સામે આવ્યો હતો. બંને રાશનકાર્ડ પર પાંચ વર્ષમાં 31 લીટર કેરોસિન લીધેલુ દર્શાવવામાં આવ્યું છે.
મંદિર ક્યાં છે તેની જાણ નથી
રાશન કાર્ડ 007529200691 ખાદ્ય વિભાગ તરફથી આપવામાં આવ્યું છે. આ રાશનકાર્ડ મંદિર મુરલી મનોહર રુદાવલ નામથી છે. આ રાશનકાર્ડના ઉપયોગકર્તા સ્વયં ભગવાન છે. જેમની ઉંમર 121 વર્ષ છે. આ રાશનકાર્ડ પર 30 ડિસેમ્બર 2016ના રોજ 11 લીટર કેરોસિન લેવામાં આવ્યુ છે. આ મંદિર ક્યાં છે. તેની કોઇ જાણકારી નથી. આ રાશનકાર્ડ પર રાધા કૃષ્ણનો ફોટો છે.
બીજો કિસ્સો પણ એવો જ
રાશનકાર્જ નંબર 007529200580 છે. જેમા ઉપભોક્તાનું નામ શ્રી ઢંઢારવાળા હનુમાનજી છે. આ રાશનકાર્ડમાં કુલ 6 યુનિટ છે. હનુમાનજીની ઉંમર 81 વર્ષ છે અને પિતાનું નામ કેસરી છે. આ રેશનકાર્ડ પરપણ 30 ઓક્ટોબર 2016ના રોજ કેરોસિન લેવામાં આવ્યું છે.
વિકાસ અધિકારીએ જણાવ્યું કે આ પ્રકારથી રાશનકાર્ડ ન આપી શકાય અને જો કોઇએ કર્યુ છે તો તે ખોટુ છે. આવુ કેવી રીતે થયુ તે કહેવુ જ મુશ્કેલ છે. રાશનકાર્ડ પહેલા જ બની ગયુ છે.