એ સમયે અર્જુન કપૂરે એક ઇંટરવ્યૂમાં કહ્યું હતું કે એ સમય તેના અને મલાઇકા માટે કોઈ નર્કથી ઓછો નહતો.
અર્જુન કપૂર હાલ તેના નિવેદનને કારણે વિવાદમાં ઘેરાયા છે
પહેલા પણ આવા જ વિવાદોમાં અર્જુન કપૂર ફસાયા હતા
અર્જુન કપૂર હાલ તેના નિવેદનને કારણે વિવાદમાં ઘેરાયા છે. બૉયકોટ બોલીવુડ ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'હવે સમગ્ર બોલીવુડ ઈન્ડસ્ટ્રીએ એકસાથે આવીને તેની સામે લડવું પડશે, કારણ કે હવે આ વાત ઘણી આગળ વધી રહી છે. હવે યુઝર્સનો જવાબ આપવાનો વારો છે.' એક મીડિયા સાથેની વાતચીતમાં અર્જુન કપૂરે આગળ કહ્યું હતું કે, "ઇન્ડસ્ટ્રીના લોકોએ ચૂપ રહીને ખોટું કર્યું, લોકો અમારા મૌનનો ફાયદો ઉઠાવી રહ્યા છે અને તેઓ જે મનમાં આવે છે તે બોલી રહ્યા છે. પહેલા મને લાગ્યું હતું કે અમારું કામ બોલશે, શા માટે આવી પ્રતિક્રિયા આપીને હાથ ગંદા કરવા પણ હવે વાત ઘણી આગળ વધી રહી છે. બોલીવુડને બૉયકોટ કરવાની લોકોની સિસ્ટમ હવે એમની આદત બની ગઈ છે."
આવ્યા નિવેદેનને કારણે અર્જુન કપૂર ટોલર્સના નિશાને ચઢ્યા છે. આજે અમે તમને એ વિશે જણાવશું કે પહેલા પણ આવા જ વિવાદોમાં અર્જુન કપૂર ફસાયા હતા. અને તેની પાછળનું કારણ મલાઇકા અરોરા હતી. અર્જુન કપૂરે જ્યારે મલાઇકા સાથે તેના રિલેશને લોકો સમક્ષ રાખ્યું હતું એ સમયે પણ અર્જુન કપૂર વિવાદોમાં ઘેરાયા હતા.
તમને જણાવી દઈએ કે મલાઈકાએ પહેલા અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન વર્ષ 1998માં થયા હતા અને આ લગ્નથી તેમને કે પુત્ર અરહાન ખાનનો છે. જો કે મલાઈકા અને અરબાઝ ખાને લગ્નના 19 વર્ષ પછી વર્ષ 2017માં ડિવોર્સ લીધા હતા અને એ પછી તે અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં આવી હતી.
ડિવોર્સ પછીના થોડા જ સમયમાં મલાઈકા અને અર્જુન કપૂર રિલેશનશિપમાં આવ્યા હતા અને એ પછી તેમને આ એ રિલેશનશીપ લોકો સમક્ષ રાખી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પછી માત્ર મલાઈકા એ જ નહીં પરંતુ અર્જુન કપૂરને પણ સોશિયલ મીડિયા પર જબરદસ્ત ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો.
એ સમયે અર્જુન કપૂરે એક ઇંટરવ્યૂમાં કહ્યું હતું કે એ સમય તેના અને મલાઇકા માટે કોઈ નર્કથી ઓછો નહતો. જો કે એ પછી અર્જુન કપૂરે એ વાતની ખુશી પણ જાહેર કરી હતી કે તે અને મલાઇકા આ રિલેશનમાં એક સાથે ઘણા આગળ આવ્યા છે. તમને જણાવી દઈએ કે અરબાઝ ખાન હાલ ઇટાલિયન મોડલ જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે એક સિરિયસ રિલેશનશીપમાં છે.