ટેસ્લા ભારતમાં મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ લગાવી શકે છે. એલન મસ્કે સંકેત આપ્યા.
નિતિન ગડકરીએ ટેસ્લાને ભારતમાં પ્લાન્ટ લગાવવાની સલાહ આપી હતી
ટેસ્લા ભારતમાં મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ લગાવી શકે
લોન્ચિંગની પહેલા ભારત સરકાર પાસે ટેસ્લાએ કરી આ ડિમાન્ડ
નિતિન ગડકરીએ ટેસ્લાને ભારતમાં પ્લાન્ટ લગાવવાની સલાહ આપી હતી
અમેરિકન ઈલેક્ટ્રિક વાહન (ઈવી) કંપની ટેસ્લા ભારતમાં મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ લગાવી શકે છે. જેના સંકેત ટેસ્લાના સીઈઓ એલન મસ્કે આપ્યા છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ ટેસ્લાને ભારતમાં પ્લાન્ટ લગાવવાની સલાહ આપી હતી. આ સાથે તેમણે ભારતમાં આવવાના ફાયદા ગણાવ્યા હતા.
શું કહ્યું એલન મસ્કે
ટેસ્લાના સીઈઓ એલન મસ્કને ટ્વીટર પર પુછવામાં આવ્યું હતુ કે શું સ્થાનીય સ્તર પર કંપનીની કોઈ યોજના છે. આ સવાલના જવાબમાં એલન મસ્કે કહ્યુ કે જો કંપની ભારતમાં આયાતિ વાહનો સાથે સફળ રહે છે તો બાદમાં મેન્યૂફેક્ચરિંગ પ્લાંટ લગાવવા પર વિચાર કરી શકે છે. મસ્કે કહ્યું કે હાલમાં ભારતમાં આયાત ટેક્સ દુનિયામાં સૌથી ઉંચો છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે ઈલેક્ટ્રિક વાહનો પર ઓછામાં ઓછી અસ્થાયી રુપે ટેક્સ રાહત મળશે.
But we are hopeful that there will be at least a temporary tariff relief for electric vehicles. That would be much appreciated.
લોન્ચિંગની પહેલા ભારત સરકાર પાસે ટેસ્લાએ કરી આ ડિમાન્ડ
એલન મસ્કે કહ્યું કે ભારતમાં ડીઝલ અને પેટ્રોલ વાહનોની જેમ સ્વસ્છ ઉર્જા વાહનોને પણ લે છે. જ્યારે આ બન્ને વાહનો તેના જળવાયુ લક્ષ્યો અનુસાર નથી. એલન મસ્કને આશા વ્યક્ત કરી છે કે ભારતમાં ઓછામાં ઓછા ઈલેક્ટ્રિક વાહનો પર અસ્થાયી ટેક્સ રાહત આપશે. આ એક સારુ પગલું હશે.
હાલમાં ભારતમાં 40,000 ડોલરથી વધારે કિંમતની સંપૂર્ણ આયાતવાળી કાર પર સીઆઈએફ (ખર્ચ, વીમો અને ભાડુ) સાથે 100 ટકા આયાત કર લાગશે. આનાથી ઓછા ખર્ચની કાર પર આયાત ટેક્સનો દર 60 ટકા છે.