બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Terrorists change form in Kashmir, what used to happen has stopped, now new pattern is active, find out new horoscope

ઘાટીમાં ખૌફ / કાશ્મીરમાં આતંકીઓએ બદલ્યુ રૂપ, જે પહેલાં થતું તે બંધ થઈ હવે નવી પૅટર્ન ઍક્ટિવ, જાણો નવી કુંડળી

Mehul

Last Updated: 11:28 PM, 18 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બહારના રાજ્યોમાંથી કશ્મીરમાં ગુજારો કરવા આવેલાં લોકો હવે કશ્મીર છોડી રહ્યા છે.રવિવારે બિહારના બે મજૂરોની હત્યા બાદ જમ્મૂ-કશ્મીરમાંથી પ્રવાસી શ્રમિકો પલાયન કરી રહ્યા છે

  • કાશ્મીરના શ્રમિકોમાં ફફડાટ 
  • બિન કાશ્મીરીઓની થઇ રહી છે હત્યા 
  • મોટા પાયે પલાયન થઇ ગયું ચાલુ 

જમ્મૂ-કશ્મીરમાં પ્રવાસી શ્રમિકોની આતંકવાદીઓ હત્યા કરી રહ્યા છે.જેને લીધે જમ્મૂ-કશ્મીરમાં પ્રવાસી શ્રમિકોમાં ખોફનો માહોલ છે. બહારના રાજ્યોમાંથી કશ્મીરમાં ગુજારો કરવા આવેલાં લોકો હવે કશ્મીર છોડી રહ્યા છે.રવિવારે બિહારના બે મજૂરોની હત્યા બાદ જમ્મૂ-કશ્મીરમાંથી પ્રવાસી શ્રમિકો પલાયન કરી રહ્યા છે.કશ્મીરમાં પેટનો ખાડો પૂરવા આવેલાં શ્રમિકો,આતંકના ખોફને કારણે રાતોરાત કશ્મીર છોડવાનો વારો આવ્યો છે .રાજસ્થાનનો એક પરિવાર  શ્રીનગરમાં ગુજરાન ચલાવવા માટે આવ્યો હતો.પોતાના પેટિયું રળવા આવેલો પરિવાર કશ્મીરમાંથી ઊચાળા ભરી રહ્યો છે.બાળ બચ્ચા અને સામાન સાથે પરિવાર શ્રીનગર છોડી રાજસ્થાન જઈ રહ્યા છે.

11 દિવસમાં 9ની હત્યાથી ઘાટીમાં આક્રંદ 

જમ્મૂ-કશ્મીરમાં બિનકશ્મીરી શ્રમિકોની હત્યાઓના મામલાઓ વધ્યા છે. જમ્મૂ-કશ્મીરમાં બિનકશ્મીરી શ્રમિકો પર 24 કલાકમાં 3 હુમલા કરાયા. છેલ્લા 11 દિવસમાં કશ્મીરમાં 9 લોકોની હત્યા જેમાં 4 બિનકશ્મીર શ્રમિકો હતા. કશ્મીરમાં સામાન્ય નાગરિકની હત્યાનો સિલસિલો જોઈએ તો 2 ઓકટોબરે માજિદ અહેમદ ગોજારની હત્યા કરાઈ.5 ઓકટોબરે કેમિસ્ટ માખનલાલ બિંદ્રૂની હત્યા કરાઈ.7 ઓકટોબરે સ્કૂલના પ્રિન્સિપાલ સુપિંદર કૌર અને શિક્ષક દીપક ચાંદની હત્યા કરાઈ. 16 ઓકટોબરે યુપીના શ્રમિક સગીર અહેમદની હત્યા કરાઈ.જ્યારે 17 ઓકટોબરે બિહારના શ્રમિક રાજા ઋષિદેવ અને જોગિંદર ઋષિદેવની હત્યા કરવામાં આવી હતી. જોકે, આ હત્યા અંગે નિષ્ણાતોનો કહેવું છે કે સ્થાનિક કશ્મીરીઓ સહકાર આપે તો કશ્મીરમાં રસ્તો સરળ બને તેમ છે.

કશ્મીરના બસ સ્ટોપ-રેલવે સ્ટેશન પર ભારે ભીડ 

કશ્મીરમાં આતંકને પગલે શ્રીનગરના બસસ્ટેશન અને રેલવે સ્ટેશન પર અનેક પરિવારો વતન જવા માટે બસ કે ટ્રેનની રાહમાં છે. કશ્મીરમાં પેટનો ખાડો પૂરવા આવેલાં શ્રમિકોને કશ્મીરમાંથી રાતોરાત ઉચાળા ભરવાનો વખત આવ્યો છે.જે ઘરમાં રોટલો અને આશરાની આશ લઈને આવેલાં હોય તેને રાતોરાત છોડવાનું દુઃખ કોને ન હોય.પરંતુ આતંકના ખોફની સામે સૌ કોઈ લાચાર છે.

સેના સજ્જ પણ શ્રમિકોમાં  ખૌફ 

કશ્મીરમાં સેના સજ્જ છે.અને જેવી રીતે આતંકી સંગઠનોના કમાન્ડરોને ઢેર કર્યા.તેવી જ રીતે હાઈબ્રીડ આતંકીઓને પણ હણી નાંખશે,પરંતુ આ પહેલાં કશ્મીરનો માહોલમાં ખોફ જોવા મળી રહ્યો છે.અને ગુજારો કરવા પોતાનો પ્રદેશ છોડી આવેલાં બિનકશ્મીરીઓ કશ્મીરને છોડી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ