જમ્મુ કાશ્મીરના સોપોર વિસ્તારમાં બીડીસી અધ્યક્ષ ફરીદાખાન પર સોમવારે આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં 1 કાઉન્સિલર અને 1 પીએસઓ શહીદ થયા હતા.
BDC બેઠક દરમિયાન થયો આતંકી હુમલો
આતંકીઓએ ફરીદાખાન પર કર્યો અંધાધૂંધ ગોળીબાર
ફરીદાખાનનો આબાદ બચાવ, 1 પીએસઓ શહીદ
1 કાઉન્સિલ પણ શહીદ, આતંકીઓની શોધખોળ ચાલુ
જમ્મુ-શ્મીરના સોપોર વિસ્તાર સ્થિત લોન બિલ્ડિંગમાં સોમવારે કાઉન્સિલરની બેઠક ચાલી રહી હતી. ત્યાર અચાનક આતંકીઓ આવી ચડ્યાં હતા અને ગોળીબાર શરુ કરી દીધો હતો.આ હુમલામાં કાઉન્સિલ રિયાઝ અહેમદનું મોત થયું હતું તો બીજા કાઉન્સિલ શમ્સુદિન ઘાયલ થયા હતા,હુમલામાં એક પોલીસકર્મી શફાકત અહેમદ પણ શહીદ થયા છે. કાઉન્સિલો પર ગોળીબાર કરીને કાયર આતંકીઓ ભાગી છૂટ્યા હતા. ઘટનાની ખબર મળતા લોકો અને પોલીસ તથા સુરક્ષા દળો ઘટનાસ્થળે ધસી ગયા હતા. ઉલ્લેખનીય છે કે ગયા મહિને પણ આતંકીઓએ એક પોલીસ પાર્ટી પર જાહેરમાં ગોળીબાર કર્યો હતો તેમાં 2 જવાન શહીદ થયા હતા. આ ઘટના બાગત એરિયાના બારજુલ્લામાં થઈ હતી. આ હુમલો દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. ફૂટેજમાં જોઈ શકાતું હતું કે એક આતંકી કપડામાં છુપાવીને રાઈફલ લાવ્યો હતો અને દુકાનમાં ઊભેલા કોન્સ્ટેબલ મોહમ્મદ યુસુફ અને કોન્સ્ટેબલ સુહૈલ અહેમદ પર ગોળીઓ વરસાવી હતી. ગોળીબાર કર્યા બાદ કાયર આતંકીઓ ભાગી છૂટ્યા હતા.
ફરીદાખાનનો બચાવ એક કાઉન્સિલર અને પીએસઓ શહીદ
આતંકી હુમલામાં ફરીદાખાનનો તો બચાવ થયો છે પરંતુ એક કાઉન્સિલર અને એક પીએસઓ શહીદ થયા હતા.સુરક્ષા દળોએ ફરાર આતંકીઓની શોધખોળ શરુ કરી હતી. ઠેરઠેર નાકાબંધી કરીને વાહોની તલાશી શરુ કરી હતી તેમ છતાં પણ આતંકીઓ હાથ આવ્યા નહોતા.