કેન્દ્ર સરકારના સ્ટેપથી ગુસ્સે ભરાયેલા આતંકીઓ કાશ્મીરના લોકોમાં ડરનો માહોલ ઉભો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દક્ષિણ કાશ્મીરમાં લોકોમાં ડર પેદા કરવા માટે આતંકી તમામ પ્રકારની પ્રવૃતિઓ કરી રહ્યા છે.
આતંકી કાશ્મીરના લોકોમાં ભય પેદા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
સેના લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સતત પેટ્રોલિંગ કરી રહી છે.
વિશેષ રાજ્યનો દરજ્જો આપનાર બંધારણના આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ ગુસ્સે થઇ ગયા છે. લોકોમાં ડરનો માહોલ પેદા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
આતંકીઓએ શોપિયા જિલ્લામાં સફરજનના પાકમાં આગ લગાવી દીધી. આતંકીઓએ વેપારીઓની સાથે સાથે મજૂરોને પણ કામ ના કરવાની ધમકી આપી જ્યારે શોપિયાના એક ગામમાં પંચાયત ભવનમાં આગ લગાવી દીધી. તો બીજુ બાજુ સેના લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સતત પેટ્રોલિંગ કરી રહી છે.
જો કે હિંસા રોકવા માટે સુરક્ષાબળ ઉતાવળે કામ કરી રહી છે. આવી ઘટનાઓને રોકવા માટે સુરક્ષાબળ સ્થાનિક લોતોના સંપર્કમાં છે કારણ કે સમય પહેલા આવા મામલાઓને રોકવામાં આવે અને લોકોમાં સુરક્ષાનો ભાવ પેદા કરી શકાય. સ્થાનિક લોકોથી આંતકીઓ માટે પણ જાણકારી પ્રાપ્ત કરવામાં આવી રહી છે.
સૂત્રોએ જણાવ્યું કે આતંકી ગતિવિધિઓને રોકવા અને એની પર દેખરેખ રાખવા માટે સેનાએ પેટ્રોલિંગ વધારી દીધું છે. જો કે મોબાઇલ સેવા ઠપ થવાના કારણથી સુરક્ષા બળોને સાચા સમયથી સૂચના પ્રાપ્ત કરવામાં થોડી મહેનત કરવી પડી રહી છે. આ જ કારણ છે કે આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવવામાં ઘણા પ્રકારના પડકારો સામે આવી રહ્યા છે.
દક્ષિણ કાશ્મીરમાં લોકોમાં ભય પેદા કરવા માટે સફરજનના બગીચાને નિશાનો બનાવવામાં આવી રહ્યો છે. બગીટચાના માલિકોને ડરાવવા અને ધમકાવવામાં આવે છે. એટલા માટે સફરજનના માલિકોએ પોલીસનો સંપર્ક સાધ્યો છે. સફરજનન બગીચાને નિશાન બનાવવાની આ એકમાત્ર ઘટના છે. શોપિયાના એક ગામમાં સફરજનના 70 કાર્ટન સફરજનમાં આતંકીઓએ આગ લગાવી દીધી હતી. આતંકીઓ એ આ ઘટનાને એ સમયે અંજામ આપ્યો જ્યારે સફરજને બજારમાં મોકલવાના હતા. ખેડૂતોને સફરજનને માર્કેટમાં ના મોકલવાની ધમકીઓ મળી રહી છે. આગ લગાડવાની ઘટના સામે આવ્યા બાદથી સેનાએ એ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે.