જમ્મૂ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં સેના પર આતંકવાદી હુમલો થયો છે. શ્રીનગરના કરન નગરમાં સ્થિત કાકાસરાએ વિસ્તારમાં થયેલ આ હુમલામાં 6 સીઆરપીએફ જવાન ઇજાગ્રસ્ત થયા છે. હુમલા બાદ સેનાએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
શ્રીનગરના કરન નગર સેક્ટરમાં આતંકીઓએ કર્યો હુમલો
આતંકવાદી હુમલા બાદ સેનાએ તેની ધરપકડ કરવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે
હુમલામાં ઇજાગ્રસ્ત જવાન સીઆરપીએફની 144મી બટાલિયનના જવાન છે
જમ્મૂ કાશ્મીરમાં કડક સુરક્ષા છતા પણ આતંકવાદીઓ સક્રિય છે. શ્રીનગરમાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના જવાનો પર આતંકવાદીઓ ગ્રેનેડ ફેંકીને ફરાર થઇ ગયા. શ્રીનગરના કરન નગર વિસ્તારમાં આવેલ કાકાસરાએ વિસ્તારમાં આ હુમલામાં 6 CRPF જવાન ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત જવાનોને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર જણાવાય રહી છે.
Jammu and Kashmir: 6 CRPF personnel injured in grenade attack by terrorists in Srinagar's Karan Nagar. (Visuals deferred by unspecified time) pic.twitter.com/z0uaozQIkn
આતંકવાદીઓએ હુમલો કરતાની સાથે જ સીઆરપીએફના જવાનોને તાત્કાલિક જવાબી કાર્યવાહી કરી. સેનાએ કરન નગર સેક્ટરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે, સાથે વિસ્તારની ચોતરફથી નાકાબંધી કરી દેવામાં આવી છે.
આતંકવાદીઓની શોધખોળ માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આતંકવાદીઓ હુમલા કર્યા બાદ તુરંત નાસી છૂટવામાં સફળ રહ્યા છે, આ પહેલા જવાન કંઇ સમજી શકે, તે પહેલા આતંકવાદીઓ ભાગી ગયા હતા.
આ હુમલામાં 4 જવાન ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે 2 જવાનોને સામાન્ય ઇજા પહોંચી છે. હુમલા બાદ સેનાએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આતંકવાદીઓની ઓળખ હજુ સુધી નથી થઇ શકી, સીઆરપીએફ અને પોલીસ બન્ને આતંકવાદીઓ વિશે ઇનપુટ મેળવી રહ્યા છે.