આ મંદિરના ભગવાનને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે.માન્યતા અનુસાર જે લોકોને ક્યાંય ન્યાય નથી મળતો એ લોકો આ મંદિરમાં આવીને ન્યાય મેળવી શકે છે.
આ મંદિરમાં ભક્તોને ન્યાય મળે છે
આ મંદિરના ન્યાય દેવતાને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે.
મનોકામના ક્યારેય નથી રહેતી અધૂરી
આપણા ભારત દેશમાં ઘણા મંદિરો વિશે આપણે ઘણી ચમત્કારી વાતો સાંભળી હશે. અમુક મંદિરોમાં મનોકામના પૂર્ણ થાય છે તો ક્યાંક માત્ર દર્શનથી જ ભક્તોનું ભાગ્ય ચમકી જાય છે. આવા અઢળક મંદિરો છે પણ આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવી રહ્યા છીએ જે મંદિરમાં ભક્તોને ન્યાય મળે છે. હા આ મંદિરના ભગવાનને ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે.માન્યતા અનુસાર જે લોકોને ક્યાંય ન્યાય નથી મળતો એ લોકો આ મંદિરમાં આવીને ન્યાય મેળવી શકે છે. જણાવી દઈએ કે આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે લોકો ત્યાં પંહોચીને દેવતા પાસે ન્યાય માંગે છે અને એમને ત્યાં ન્યાય મળી પણ રહે છે. ફક્ત ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ આ મંદિર આટલુ જ જાણીતું છે.
ક્યાં આવેલ છે મંદિર
આપણે બધા જાણીએ છીએ કે ઋગ્વેદમાં ઉત્તરાખંડને દેવભૂમિ કહેવામાં આવ્યું છે. હિમાલયની ગોદમાં વસેલું આ સૌથી પવિત્ર વિસ્તારમાં દેવી-દેવતાઓના અનેક મંદિરો છે અને આ મંદિરો વિશ્વભરમાં ઓળખીતા છે. આ મંદિરોમાંથી એક મંદિર છે ગોલુ દેવતા. ગોલુ દેવતાને માન્યતાઓ અનુસાર ન્યાયના દેવતા પણ કહેવામાં આવે છે. જો કે ઉત્તરાખંડમાં ગોલુ દેવતાના ઘણા મંદિરો છે પણ સૌથી વધુ લોકપ્રિય અને આસ્થાનું કેન્દ્ર અલ્મોડા જિલ્લામાં સ્થિત ચિતાઈમાં આવેલ ગોલુ દેવતાનું મંદિર છે.
ગોલુ દેવતાનું મંદિર
ગોલુ દેવતાને સૌથી મોટા અને ઝડપી ન્યાયના દેવ તરીકે પૂજવામાં આવે છે આ સાથે જ તેમને રાજવંશી દેવતા પણ કહેવામાં આવે છે. ગોલુ દેવતાને ઘણા નામથી બોલાવામાં આવે છે અને આમાંથી એક નામ ગૌર ભૈરવ પણ છે. સાથે જ સ્થાનિક માન્યતાઓ અનુસાર ગોલુ દેવતાને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે. અને એમના મંદિરમાં જ્યારે પણ કોઈ મનોકામના પૂર્ણ થાય ત્યારે એમના મંદિરમાં જઈને ઘંટડી બાંધવામાં આવે છે.
This is Golu Devta Chitai temple near Almora—dedicated to Golu Devta, an avatar of Lord Shiva as Gaur Bhairav. Golu Devta is regarded as the God of Justice, and devotees seek His intervention in their crises by writing to him. Credits- @mannu.0001#uttarakhandtourism#kumaonpic.twitter.com/xLdoufuFY1
મનોકામના ક્યારેય નથી રહેતી અધૂરી
જણાવી દઈએ કે ગોલુ દેવતાને શિવ અને કૃષ્ણ બંનેનો અવતાર માનવામાં આવે છે. મંદિરમાં બાંધવામાં આવેલ ઘંટીઓ જોઈને તમે સમજી જશો કે આ મંદિરમાં ઘણા લોકોની મનોકામના પૂરી થઈ છે. જણાવી દઈએ કે મંદિરમાં અઢળક ઘંટીઓ છે અને ભક્તો ભક્તો એમની મનોકામના પુર્ણ થવા પર મંદિરમાં ઘંટડીઓ બાંધે છે. એ ટળું જ નહીં મંદિરમાં ભક્તો મન્નત માનવા માટે ચિઠ્ઠી લખે છે. આ સાથે જ ઘણા લોકો સ્ટેમપ પેપર પર લખીને ન્યાય માંગવા આવે છે.