તેલંગણાના કામારેડ્ડી જિલ્લાના નિઝામસાગરના હસનપલ્લી ગેટ પર એક ટ્રકને એક ઓટો ટ્રોલી સાથે જોરદાર ટક્કર લાગી ગઈ હતી.
તેલંગણામાં ભયંકર અકસ્માત
ટ્રકે ટ્રોલીને ટક્કર મારતા 9 લોકોના મોત
પીએમ મોદીએ 2-2 લાખ આપવાની કરી જાહેરાત
તેલંગણાના કામારેડ્ડી જિલ્લાના નિઝામસાગરના હસનપલ્લી ગેટ પર એક ટ્રકને એક ઓટો ટ્રોલી સાથે જોરદાર ટક્કર લાગી ગઈ હતી. તેના કારણે આ દુર્ઘટનામાં 9 લોકોના મોત થઈ ગયા છે અને અન્ય 17 લોકો ઘાયલ થયા છે. પીએમ મોદીએ આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના આશ્રિતોને બે-બે લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
Telangana | A lorry collided with an auto trolley at Hasanpalli Gate in Nizamsagar, leading to the death of 9 persons & injuries of 17 others, who were returning after attending a function in Yellareddy. Case registered & accused driver identified: Srinivas Reddy, SP Kamareddy pic.twitter.com/J6K4V601Wj
ઓટો ટ્રોલી યેલારેડ્ડીમાં એક સમારંભમાં ભાગ લઈને પાછા આવી રહ્યા હતા. કામારેડ્ડી જિલ્લાના એસપી શ્રીનિવાસ રેડ્ડીએ જણાવ્યું હતું કે,ટ્રકના ડ્રાઈવર વિરુદ્ધ કેસ નોંધી લેવામાં આવ્યો છે. પીએમ મોદીએ શોક સંવેદન પ્રગટ કરતા કહ્યું કે, નવ લોકોના મોતથી વ્યથિત છું. શોક સંતપ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના અને ઘાયલોને તાત્કાલિક સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરુ છું. દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાહત ભંડોળમાંથી બે બે લાખ રૂપિયા આપવામાં આવશે. ઘાયલોને 50-50 હજાર રૂપિયાની મદદ આપવામાં આવશે.
Distressed by the loss of lives due to an accident in Kamareddy district, Telangana. Condolences to the bereaved families and prayers with the injured. Rs 2 lakh each from PMNRF would be given to the next of kin of the deceased. The injured would be given Rs. 50,000: PM Modi pic.twitter.com/OlU9i3zyPa
આ દુર્ઘટના વિશે અપડેટ આવી રહી છે કે, દુર્ઘટનામાં 9 લોકોના મોત થઈ ગયા છે અને 17 લોક ઘાયલ હોવાનું કહેવાય છે. આ તમામ અલ્લારેડ્ડીમાં એક કાર્યક્રમમાં ભાગ લઈને પાછા જઈ રહ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ કો, આરોપી ચાલકની ઓળખાણ શ્રીનિવાસ રેડ્ડી અને એસપી કામારેડ્ડી તરીકે થઈ છે. કહેવાય છે કે, ટ્રક અને ટ્રોલીની ટક્કર આમને સામને થઈ હતી.