તેલંગાણા હાઈકોર્ટે 1 સપ્ટેમ્બરથી સ્કૂલો ખોલવાના રાજ્ય સરકારના નિર્ણય પર તત્કાળ અસરથી એક અઠવાડિયાનો સ્ટે મૂકી દીધો છે.
તેલંગાણા હાઈકોર્ટનો મોટો ચુકાદો
તેલંગાણામાં 1 સપ્ટેમ્બરથી સ્કૂલો શરુ થવાની હતી
પણ હવે 1 અઠવાડિયા સુધી મોકૂફ રહેશે
તેલંગાણાની કેસીઆર રાવની સરકારે 1 સપ્ટેમ્બરથી સ્કૂલો શરુ કરવાનો આદેશ બહાર પાડ્યો છે પરંતુ હાલના સમયમાં કોર્ટને રાજ્ય સરકારનો સ્કૂલો ખોલવાનો નિર્ણય અયોગ્ય લાગ્યો તેથી કોર્ટે તેની પર પ્રતિબંધ મૂકી દીધો છે.
1 અઠવાડિયા સુધી સ્કૂલો નહીં ખુલે
Telangana High Court stays state government order to reopen educational institutions from September 1 pic.twitter.com/zKqiUcqeCt
હાઈકોર્ટે એક આદેશ પાસ કરતા જણાવ્યું કે વિદ્યાર્થીઓને સ્કૂલે આવવાની ફરજ ન પાડી શકાય. હાઈકોર્ટે હાલના સંજોગોમાં એક અઠવાડિયા સુધી સ્કૂલો ખોલવા પર પાબંધી મૂકી દીધી છે. કોર્ટે કહ્યું કે કોઈ પણ સ્કૂલ ખોલવી અનિવાર્ય નથી. બાળકોને સ્કૂલો આવવાની ફરજ પણ ન પાડી શકાય.
વિદ્યાર્થીઓને ક્લાસમાં આવવાની સ્કૂલો ફરજ ન પાડી શકે-હાઈકોર્ટ
કોર્ટે એવું પણ કહ્યું કે કોઈ પણ ખાનગી કે સરકારી સ્કૂલ ધોરણ 1 થી 12 ના કોઈ પણ વિદ્યાર્થીને શારીરિક કક્ષાઓમાં ભાગ લેવા માટે ફરજ ન પાડી શકે.હાઈકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓને એવો પણ નિર્દેશ આપ્યો છે કે તેઓ કોઈ પણ વિદ્યાર્થીએ ઓફલાઈન ધોરણે ક્લાસમાં આવવાની ફરજ નહીં પાડી શકે.
તેલંગાણામાં વાલીઓ અને કાર્યકરો સ્કૂલો ખોલવાનો વિરોધ કરી રહ્યાં છે. વાલીઓએ હાઈકોર્ટમાં સ્કૂલો ખોલવાની વિરૃદ્ધ અરજી કરી હતી. આ કેસની સુનાવણી કરતા કોર્ટે રાજ્ય સરકારના આદેશ પર તત્કાળ સ્ટે મૂકી દીધો હતો.
હાઈકોર્ટે એક અઠવાડિયા બાદ આ કેસની ફર સુનાવણી કરશે.