ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે 2019 વર્લ્ડકપ દરમિયાન ભારતીય ટીમના બેટ્સમેન્સ પર પોતાની ટિપ્પ્ણી આપીને ચકચાર મચાવી દીધી હતી.
બૅન સ્ટોક્સના નિવેદનથી ખળભળાટ
વર્લ્ડકપ 2019માં ભારતીય ટીમે સહન કરી હાર
પોતાના પુસ્તકમાં કહી દીધી મોટી વાત
પાકિસ્તાનના પૂર્વ બોલર સિકંદર બખ્તે દાવો કર્યો છે કે સ્ટોક્સે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, ભારતીય ટીમ જાણીજોઇને ઇંગ્લેન્ડ વિરુદ્ધ હારી જેથી તે પાકિસ્તાન વર્લ્ડકપમાંથી બહાર થઇ જાય.
બૅન સ્ટોક્સે પોતાના પુસ્તક ઓન ફાયરમાં ભારત વિરુદ્ધ વર્લ્ડકપ 2019ની મૅચની વાત કરી છે જેમાં તેણે લખ્યું કે, ધોની જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે ભારતીય ટીમને 11 ઓવરમાં 112 રન જોઇતા હતા પરંતુ તેણે અજીબ રીતે બેટિંગ કરી હતી.
ધોનીને જાણીજોઇને હારવુ હતુ
બૅન સ્ટોક્સના કહ્યાં અનુસાર મૅચમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ જીતવાનો જસ્બો નહોતો બતાવ્યો. રોહીત શર્મા અને વિરાટ કોહલીની પાર્ટનરશીપ પણ અજીબ લાગી હતી.
2019 વર્લ્ડકપની 38મી મૅચમાં ઇંગ્લેન્ડે ભારત સામે 338 રનનું લક્ષ્ય ઉભુ કર્યુ હતુ પરંતુ ટીમ ઇન્ડિયા નિર્ધારિત ઓવરમાં 306/05 રન પર હારી ગઇ હતી. ભારતની આ હાર પર ફેન્સ ઘણા જ નારાજ થયા હતા અને મહેન્દ્ર સિંહ ધોની પર પણ સવાલ ઉઠ્યા હતા.
ધોનીએ 31 બૉલ પર 42 રન બનાવ્યા હતા તો કેદાર જાદવ 13 બોલ પર 12 રન જ બનાવી શક્યો હતો. ટીમ ઇન્ડિયાના બેટ્સમેન્સની બેટિંગ પર હેરાની જતાવી હતી અને રહસ્યમય પણ લાગી હતી.