બીસીસીઆઈએ ન્યુઝીલેન્ડ સામે વન-ડે અને ટી20 શ્રેણી માટે પણ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ટી20 ટીમમાં પૃથ્વી શોને સ્થાન મળ્યું છે. શૉએ હાલમાં રણજી ટ્રોફી મેચમાં ટ્રીપલ સદી 379 રન ફટકાર્યા હતા. વન-ડે ટીમમાં મોટાભાગે સીનિયર ખેલાડીઓનો સમાવેશ થાય છે, તો ટી20 ટીમમાં યુવા ખેલાડીઓની ભરમાર છે.
ન્યુઝીલેન્ડ સામે વન-ડે અને ટી20 શ્રેણી માટે ભારતીય ટીમ જાહેર
ટી20 શ્રેણીમાં પૃથ્વી શોને સ્થાન મળ્યું
શૉએ રણજી ટ્રોફી મેચમાં ટ્રીપલ સદી 379 રન ફટકાર્યા હતા
ન્યુઝીલેન્ડ સામે વન-ડે સીરીઝમાં રોહિત શર્મા કેપ્ટન
ન્યુઝીલેન્ડ સામે ત્રણ-ત્રણ મેચની વન-ડે અને ટી20 સીરીઝ માટે પણ ભારતીય ટીમની જાહેરાત થઇ ગઇ છે. વન-ડે સીરીઝમાં રોહિત શર્મા આગેવાની લેશે. જ્યારે ટી20 સીરીઝમાં એક વખત ફરીથી હાર્દિક પંડ્યાને સુકાન પદની જવાબદારી મળી છે.
અર્શદીપ વન-ડે ટીમમાં સામેલ નથી
જ્યાં સુધી વન-ડે મેચ માટે બેટીંગ ક્રમનો સંબંધ છે તો બીસીસીઆઈએ શ્રીલંકા શ્રેણીમાં રમી રહેલી ટીમમાં મોટો ફેરફાર કર્યો નથી. રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર અને ઈશાન કિશને ટીમમાં પોતાનુ સ્થાન જાળવી રાખ્યું છે. તો ઓલરાઉન્ડર ખેલાડીઓના રૂપમાં શાહબાજ અહમદ અને વૉશિંગ્ટન સુંદરને જગ્યા મળી છે. આ સાથે વન-ડે ટીમમાં અર્શદીપ સિંહની જગ્યાએ શાર્દૂલ ઠાકુરનો સમાવેશ કરાયો છે. મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક પણ વન-ડે ટીમમાં છે.