દુનિયાભરમાં આઇપીએલનો રોમાંચ જારી છે. આ વખતે આઇપીએલમાં ૧૦ ટીમ ભાગ લઈ રહી છે. આ સિઝનમાં પાંચ વારની વિજેતા મુંબઈ ઇન્ડિયન્સ અને ચાર વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સની હાલત ખરાબ છે, જ્યારે બે નવી ટીમ- ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ ધમાલ મચાવી રહી છે. લગભગ બધી ટીમે આઇપીએલની ૧૫ની અડધી સફર પૂરી કરી લીધી છે.
વિશ્વભરમાં આઈપીએલનો રોમાંચ યથાવત
ઘણા ખેલાડીઓએ આઈપીએલના કારણે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવ્યું
ટી-20 અને વન-ડે વર્લ્ડકપ માટે આ 23 ખેલાડીઓની તૈયાર છે ટીમ ઇન્ડિયા
અમુક ખેલાડીઓને IPLના આધારે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું
દરેક વખતની જેમ આ સિઝનમાં પણ નવા ક્રિકેટ સ્ટાર ઊભરતા નજરે પડ્યા છે. જૂના ખેલાડી અલગ ભૂમિકામાં દેખાઈ રહ્યા છે તો ઉમરાન મલિક જેવો બોલર પોતાની ઝડપથી બેટ્સમેનોમાં ડરનો માહોલ પેદા કરી રહ્યો છે. છેલ્લાં ઘણાં વર્ષો દરમિયાન અનેક ખેલાડીને આઇપીએલમાં શાનદાર પ્રદર્શનના દમ પર ટીમ ઇન્ડિયામાં સ્થાન મળ્યું છે. ભારતીય ટીમે ૨૦૧૩ બાદ એક પણ આઇસીસી ખિતાબ જીત્યો નથી. છેલ્લે ટીમ ઇન્ડિયા મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વમાં ઈંગ્લેન્ડમાં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ત્યારબાદ ભારતીય ટીમ બે વન ડે વર્લ્ડકપ (૨૦૧૫, ૨૦૧૯), ત્રણ ટી-૨૦ વર્લ્ડકપ (૨૦૧૪, ૨૦૧૬, ૨૦૨૧) અને આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ (૨૦૨૧)માં ખાલી હાથે પાછી ફરી હતી.
આ 23 ખેલાડીઓની વર્લ્ડ કપમાં એન્ટ્રી પાક્કી !
આ ઉપરાંત આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૧૭માં પણ ભારતીય ટીમ વિજેતા બની શકી નહોતી. હવે આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં ટી-૨૦ વર્લ્ડકપ અને ૨૦૨૩માં ભારતની ધરતી પર વન ડે વર્લ્ડકપ રમાવાનો છે. બીસીસીઆઇએ રોહિત શર્માને ટીમને નેતૃત્વ સોંપ્યું છે. રોહિત પોતાની ટીમ મુંબઈ ઇન્ડિયને આઇપીએલમાં પાંચ વાર ખિતાબ અપાવી ચૂક્યો છે. રોહિતને ભારતના દિગ્ગજ ખેલાડી અને હવે હેડ કોચ રાહુલ દ્રવિડનો સાથ મળી રહ્યો છે. બીસીસીઆઇ અને ક્રિકેટ ચાહકોને આશા છે કે રોહિત-રાહુલની જોડી આઇસીસી ખિતાબનો દુષ્કાળ ખતમ કરવામાં સફળ રહેશે. આજે આપણે અહીં એવા ૨૩ ખેલાડીઓ પર નજર કરીએ, જેઓ આઇપીએલમાં અત્યાર સુધીના પ્રદર્શનના આધારે ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી મેળવી શકે છે.