શ્રીલંકા સામે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થયા બાદ રિદ્ધીમાન સાહાએ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને લઇને વિવાદીત નિવેદન આપ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે દ્રવિડે રિદ્ધીમાન સાહાને ટેસ્ટમાંથી સંન્યાસ લેવાની સલાહ આપી હતી. તો ગાંગુલીએ કહ્યું હતુ કે જ્યાં સુધી તેઓ બીસીસીઆઈના અધ્યક્ષ છે ત્યાં સુધી તેમને કશુ થશે નહીં.
રિદ્ધીમાન સાહાએ દ્રવિડ અને ગાંગુલી વિરુદ્ધ આપ્યાં હતા વિવાદીત નિવેદન
સાહાના નિવેદન પર રાહુલ દ્રવિડે કરી સ્પષ્ટતા, કોઈ વાતનું ખોટું લાગ્યુ નથી
રિદ્ધીમાન સાહાનું ભારતીય ક્રિકેટમાં રહ્યું છે યોગદાન
રિદ્ધીમાન સાહાનું ભારતીય ક્રિકેટમાં અભૂતપૂર્વ યોગદાન
સાહાના આ નિવેદન પર દ્રવિડે પોતાની વાત મુકી છે. તેમણે કહ્યું છે કે આ વિકેટકીપર બેટ્સમેનના નિવેદનનું તેમને ખોટું લાગ્યુ નથી. દ્રવિડે વેસ્ટ ઈન્ડીઝ સામે ત્રણ ટી-20 મેચોની સીરીઝ 3-0થી જીત્યા બાદ પત્રકાર પરિષદમાં પોતાની વાત મુકી. તેમણે સાહા સાથે જોડાયેલા સવાલ પર કહ્યું, ના મને તેમના નિવેદનનું જરા પણ ખોટું લાગ્યું નથી. હું રિદ્ધીમાન સાહા અને ભારતીય ક્રિકેટમાં તેમણે આપેલા યોગદાનનું ખૂબ સન્માન કરુ છુ. આ સન્માન માટે મેં પોતાની વાત મુકી હતી.
ખેલાડીઓનુ પરેશાન અને દુ:ખી થવુ સ્વાભાવિક: રાહુલ દ્રવિડ
દ્રવિડે વધુમાં કહ્યું, મને લાગે છે, તેઓ પ્રામાણિક અને કોઈ પણ બાબતને યોગ્ય રીતે જાણવાના હકદાર હતા. હું ઈચ્છતો નથી કે આ અંગે તેમને મીડિયામાંથી કોઈ જાણકારી મળે. મને આ વાતની આશા પણ નથી કે ખેલાડી દરેક પહેલુઓને લઇને હંમેશા મારી સાથે સહમત થશે. જેનો અર્થ એ નથી કે તમે તેની સાથે છુપાવો. હું હકીકતમાં આ પ્રકારની સામેથી વાતચીત કરવામાં વિશ્વાસ રાખુ છુ. ખેલાડીઓનુ પરેશાન અને દુ:ખી થવુ સ્વાભાવિક છે.
સાહા પ્રત્યે મારું સન્માન ઘટશે નહીં: રાહુલ દ્રવિડ
રાહુલ દ્રવિડે આ સાથે જણાવ્યું કે તેમણે કેમ સાહાને આ વાત કહી હતી. ખરેખર, રિષભ પંતે હવે ટીમમાં પોતાનું સ્થાન પાક્કુ કરી લીધુ છે. ભારતીય ટીમ વધુ એક યુવાન વિકેટકીપર બેટ્સમેનને તૈયાર કરવા માંગે છે. દ્રવિડે કહ્યું, રિદ્ધી માટે મારા મનમાં જે સન્માન છે, તેના કારણે મને લાગે છે કે તેઓ સ્પષ્ટતાના હકદાર હતા. રિષભના પ્રથમ નંબરના કીપરના રૂપમાં સ્થાપિત થવાની સાથે અમે વધુ એક કીપરને તૈયાર કરવાનું વિચારતા હતા. આ ઘટના બાદ પણ રિદ્ધી પ્રત્યે મારા સન્માનમાં કોઈ ફેરફાર આવ્યો નથી.