દેશભરમાં ઘણા બધા લોકોને ચા પીવાની ટેવ હોય છે. ઓફિસમાં કામ બાદ અથવા ઘરમાં પણ ચાની ચુસ્કી દિવસભરનો બધો થાક દૂર કરી દે છે અને આ દિવસની તાજગી ભરી શરૂઆતનો પણ એક ભાગ હોય છે. જમવાનું જમ્યા પછી ચા મોટાભાગના લોકોની ટેવમાં હોય છે પરંતુ શું તમે જાણો છોતમારી આ ટેવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
કેટલાક લોકો કહે છે કે જમવાનું જમ્યા પછી ચા પીવાની ટેવ રાખે છે ખાસ કરીને ઠંડીમાં તેમને જમ્યા પછી તરત ચા જોઇએ છીએ. પરંતુ તમને જણાવી દઇએ કે જમ્યા પછી ચા પીવી સ્વાસ્થ્ય માટે સારી વાત નથી. એવું એટલા માટે કારણ કે ચા ના પત્તામાં એસિડીક ગુણ હોય છે અને જ્યારે તે જમવામાં પ્રોટીન સાથે મિક્સ થાય છે કો પ્રોટીન ભારે થઇ જાય છે જેના લીધે તેને પચાવવું ઘણું મુશ્કેલ થઇ જાય છે. એટલા માટે જમ્યા પછી ચાનું સેવન ના કરો તે વધારે સારું છે.
આ ઉપરાંત ચા માં કેફિન હોય છે જે બ્લડ પ્રેશરને વધારે છે. સાથે કેફીનનું પ્રમાણ શરીરમાં કોર્ટિસોલ એટલે કે સ્ટેરોઇડ હોર્મોન્સને વધારી દે છે. જેનાથી શરીરમાં ઘણા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે.