મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં એકાએક ગ્રામ્ય વિસ્તારમાં ટેન્કર દ્વારા પાણી વિતરણ બંધ કરવામાં આવતા દેકારો બોલી ગયો છે.
રાજકોટ જિલ્લામાં અને શહેરમાં કહેવા પૂરતો વરસાદ થયો છે ત્યાં તો જિલ્લામાં આવતા પાણીના ટેન્કર અચાનક બંધ થતા દેકારો બોલી ગયો છે. જિલ્લામાં આજથી પાણીના ટેન્કર બંધ કરાતા ગામડાઓના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને ગામલોકો દ્વારા પાણીના ટેન્કર ચાલુ રાખવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી. તેમજ જો 40થી વધુ સોસાયટીમાં પાણીના ટેન્કરો ફરી શરૂ કરવામાં નહીં આવે તો મહિલાઓ દ્વારા કલેક્ટરને અનશન પર ઉતારવાની ચીમકી આપવામાં આવી હતી.
પાણીના ટેન્કર ચાલુ નહીં થાત તો અનશન ઉપર ઊતરવાની આપી ચીમકી
રાજકોટ જિલ્લામાં હજુ તો થોડો વરસાદ થતાંની સાથે જ તંત્ર દ્વારા અમુક વિતારોમાં પાણીના ટેન્કર બંધ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સાથે સાથે માધાપર સહિતના વિસ્તારોમાં પાણીના ટેન્કર બંધ થતાં લોકોને ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે. ત્યારે આ મામલે રાજકોટ સહિતના આસપાસના ગામડાઓમાંથી કલેક્ટરને પાણીના ટેન્કર ચાલુ રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી.
કલેક્ટરને મહિલાઓએ કરી રજુઆત
રાજકોટના માધાપર નજીક આવેલ અયોધ્યા રેસીડેન્સી, સિધ્ધી વિનાયક પાર્ક, વોરા સોસાયટી, ગૃહ મંદિર એપાર્ટમેન્ટ સહિતના 40થી વધુ સોસાયટીના લોકોએ પાણીના ટેન્કર બંધ થતાં કલેક્ટર કચેરીએ મોટી સંખ્યમાં મહિલાઓ ઉમટીને કલેક્ટરને પાણીના ટેન્કર ચાલુ રાખવા માટે આવેદન પાઠવી રજૂઆત કરી હતી. પાણીના ટેન્કર શરૂ કરવાની માંગ કરી હતી અને જો તેઓની માંગ નહીં સંતોષાય તો જામનગર રોડ ચક્કાજામ કરવાની સાથે અનશન ઉપર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
એક તરફ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અવારનવાર પાણી પ્રશ્ને કલેક્ટર કચેરી ખાતે મિટિંગો યોજતા હોય છે. પરંતુ રાજકોટમાં માત્ર 5 ઇંચ વરસાદમાં જ પાણીના ટેન્કરો ગ્રામ્ય વિસ્તારોમાં બંધ કરતા સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે ત્યારે હવે આ મામલે તંત્ર શું પગલાં લે છે...