તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશમાં ઘાયલ થયેલ ગ્રુપ કેપ્ટન વરુણ સિંઘનું બેંગલુરુ ખાતે કમાન્ડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું.
ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનુ નિધન
તમિલનાડુ હેલિકોપ્ટર ક્રેશમાં થયા હતા ઘાયલ
બેંગ્લુરુમાં લઈ રહ્યા હતા સારવાર
ઉલ્લેખનીય છે કે ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ હેલિકોપ્ટરમાં સવાર 14 લોકોમાંથી એકમાત્ર આ દુર્ઘટનામાં બચ્યા હતાં. ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા.
બેંગ્લુરુમાં હોસ્પિટલમાં નિધન
વધારે સારવાર અર્થે તેઓને બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં આજે સારવાર દરમિયાન તેઓનું નિધન થયું હતું.
જેથી હવે તમિલનાડુમાં ચોપર ક્રેશ દરમિયાન CDS બિપિન રાવત અને તેમના ધર્મપત્ની સાથે હાજર તમામ 14 લોકોનું આ દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.
IAF is deeply saddened to inform the passing away of braveheart Group Captain Varun Singh, who succumbed this morning to the injuries sustained in the helicopter accident on 08 Dec 21. IAF offers sincere condolences and stands firmly with the bereaved family.
વરુણ સિંહનો ગુજરાતના કચ્છ સાથેનો અતૂટ નાતો રહ્યો છે. કુન્નૂરમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું સારવાર દરમ્યાન નિધન થયું છે. તમને જાણીને નવાઈ લાગશે કે,વરુણ સિંહનો અભ્યાસ કચ્છના ગાંધીધામમાં થયો હતો.
વરુણ સિંહના પિતા કે.પી.સિંહ 50 LTએયર ડિફેન્સ યૂનિટમાં કર્નલ હતા. 1995માં કર્નલ સિંહની બદલાઈ કચ્છના ગાંધીધામમાં થઇ હતી.પરિણામે,વરુણ સિંહ થોડા સમય માટે પરિવાર સાથે ગાંધીધામમાં વસવાટ કરી ગયા છે. કર્નલ કે.પી.સિંહ મીઠી રોહર વિસ્તારમાં આવેલા BSF કેમ્પના ક્વાટરમાં રહેતા હતા. આ દરમિયાન વરુણ સિંહ ગાંધીધામની કેન્દ્રિય વિધાલયના વિધાર્થી રહ્યા હતા.વરુણ સિંહે ધોરણ 9 અને 10માં ગાંધીધામની કેન્દ્રીય વિધાલયના વિધાર્થી તરીકે પરીક્ષા આપી હતી. 1996થી 98ના સમયગાળામાં અહીં અભ્યાસ કરી ચુકેલા વરુણ સિંહને તેમના શિક્ષકો આજે પણ એ દિવસોને યાદ કરી તેમના સ્વાસ્થ્યની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
8 ડિસેમ્બરે બની હતી દુર્ઘટના
જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત 14 લોકોને લઈને આર્મી બેસથી ઉપડેલા Mi-17V5 હેલિકોપ્ટરને નીલિગીરી જિલ્લાના જંગલોમાં અક્સ્માત નડ્યો હતો, અકસ્માત બાદ હેલિકોપ્ટરમાં મોટી આગ લાગી હતી અને તે આગનો ગોળો બનીને જમીન પર તૂટી પડ્યું હતું તેમાં સવાર 13 લોકોના મોત થયા જ્યારે એક જવાનનો જીવિ બચી ગયો હતો પરંતુ વરુણ સિંઘ પણ હવે આપણી વચ્ચે નથી રહ્યા.
ઇન્ક્વાયરી ચાલી રહી છે
સીડીએસ બિપિન રાવતનું હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયું તેની જાણકારી મેળવવા માટે ટ્રાઈ સર્વિસ કોર્ટે ઓફ ઈન્કવાયરી ચાલી રહી છે. કોઈમ્બુતર પોલીસે વીડિયો બનાવનાર શખ્સનો મોબાઈલ જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે. કૂન્નુરના પહાડી જંગલોમાં આ ક્રેશનો વીડિયો કોઈમ્બૂતરના ફોટોગ્રાફર વાઈ જે પોલ ઉર્ફ કુટ્ટીએ બનાવ્યો હતો, આ સમયે તેઓ જંગલમાં પરિવાર અને મિત્રોની સાથે રજા મનાવી રહ્યાં હતા.