તમિલનાડુના મુખ્યમંત્રી ઈ પલાનીસામી ચેન્નઈમાં ચૂંટણી પ્રચાર કરતી વખતે ડીએમકે સાંસદ એ.રાજાની અપમાનજક ટીપ્પણી યાદ કરીને રડી પડ્યાં હતા.
ડીએમકે સાંસદ એ.રાજાએ પલાનીસામીની માતા વિશે અપમાનજક ટીપ્પણી કરી હતી
રાજાએ કહ્યું હતું, પલાનીસામીની પોલિટીકલ કેરિયર અનૌરસ સંતાન જેવી છે
એ.રાજાની વાત યાદ કરીને સીએમ પલાનીસામી ચૂંટણી પ્રચાર વખતે રડી પડ્યાં
તમિલનાડુની વિપક્ષી પાર્ટી ડીએમકેના નેતા અને સાંસદ એ.રાજાએ સીએમ પલાનીસામીની તુલના ડીએમકે પ્રમુખ એમ.કે સ્ટાલિનના ચપ્પલ સાથે કરી હતી. રાજાએ પલાનીસામી વિશે કહ્યું કે તેમની કિંમત તો સ્ટાલિનના ચંપલ કરતા પણ ઓછી છે. આટલેથી ન રોકાતા એ.રાજાએ પલાનીસામીની માતા વિશે પણ અપમાનજક ટીપ્પણી કરી.રાજાએ કહ્યું કે સ્ટાલિનની રાજકીય કારકીર્દી કાયદેસરના સંબંધોમાંથી જન્મેલા પરિપક્વ સંતાન જેવી છે જ્યારે પલાનીસામીની રાજકીય કારકીર્દી આડા સંબંધોમાંથી જન્મેલા અપરિપક્વ સંતાન જેવી છે.
એ.રાજાની આવી અપમાનજક ટીપ્પણી વાયરલ થતા લોકોએ સોશિયલ મીડિયા પર રૌષ ઠાલવ્યો હતો અને તેમને આવી હલકી કક્ષાની ટીપ્પણી ન કરવાની સલાહ આપી હતી.
TN CM EPS emotionally breaks down about DMK MP A Raja’s derogatory remarks about his mother. Campaigning in Thiruvotriyur he said just because an ordinary person who is not from a big family has become 1/2 pic.twitter.com/f81DQUgycV
રાજાની અભદ્ર ટીપ્પણી યાદ કરીને પલાનીસામી રડી પડ્યાં
સીએમ પલાનીસામી રાજાની આવી અપમાનજક ટીપ્પણી યાદ કરતા રડી પડ્યાં અને કહ્યું કે સમાજમાં માતાનો દરજ્જો અનેરો છે અને જે પણ માતાનું અપમાન કરે છે તેમને ભગવાન દંડ કરે છે. પલાનીસામીએ કહ્યું કે તમે જરા વિચારો, જો આવા લોકો સત્તા પર આવશે તો આપણી મહિલાઓ અને માતાઓએ કેવા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડશે.
સ્ટાલિન ચાંદીની ચમચી લઈને જન્મયા છે.
પલાનીસામીએ ચૂંટણી સભામાં લોકોને પૂછ્યું કે તમે રાજાની ધ્રુણાસ્પદ ટીપ્પણી જોઈને. મારી માતા એક ગામડામાં જન્મયા હતા. તેમણે દિવસ રાત મહેનત કરી. હવે તેઓ આ દુનિયામાં નથી અને એક મૃતક માતા વિશે આવી ધ્રુણાસ્પદ ટીપ્પણી કરવી કેટલી વાહિયત વાત છે. જરા કલ્પના કરો કે આવા લોકો સત્તા પર આવશે તો આપણી મા-બહેનો પર શું વીતશે. મા-બહેનો વિશે હલકી ટીપ્પણી કરનાર લોકોને પાઠ ભણાવવો જોઈએ. તેમણે કહ્યું કે સ્ટાલિન તો ચાંદીની ચમચી લઈને જન્મયા છે. જ્યારે હું તો ગરીબ ઘરમાં પેદા થયો છું. મારી માતાએ દિવસ રાત મહેનત કરીને મને મોટો કર્યો હતો. ભગવાન આવા લોકોને ક્યારેય પણ માફ નહીં કરે.