બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / ભારત / Politics / Talking about changing the constitution, the party changed the firebrand leader of BJP
Priyakant
Last Updated: 08:23 AM, 26 March 2024
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકથી એક મોટી અપડેટ સામે આવી છે. તમને બધાને યાદ હોય તો તાજેતરમાં ભાજપના એક નેતાએ બંધારણ બદલવાને લઈ એક નિવેદન આપ્યું હતું જે કારણે તેમની ખૂબ ટીકા પણ થઈ હતી. જોકે હવે ભાજપે આવા બહુ બૉલતા નેતાઓની ટિકિટ કાપી હોવાનું સામે આવી છે. વાત જાણે એમ છે કે, 6 વખત સાંસદ રહેલા અનંત કુમાર હેગડે અનેક પ્રસંગોએ બંધારણ બદલવાની વાત કરતા હતા, થોડા દિવસો પહેલા પણ તેમણે આવી જ વાત કરી હતી પરંતુ ભાજપે આવા નેતાઓ સામે કડક સંદેશ આપતા તેમની ટિકિટ રદ્દ કરી દીધી છે. ભાજપે આ વખતે કર્ણાટકથી પોતાના ફાયરબ્રાન્ડ નેતા અનંત હેગડેને ટિકિટ આપી નથી. ઘણી વખત તેમના નિવેદનોને કારણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને શરમનો સામનો કરવો પડ્યો છે. આ વખતે પાર્ટીએ આવા ઘણા મોટા નેતાઓની ટિકિટો રદ કરી છે. આમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પણ સામેલ છે. તેથી ભાજપ તરફથી તમામ કટ્ટર નેતાઓને આ સ્પષ્ટ સંદેશ છે.
અવાર-નવાર વિવાદોમાં રહે છે અનંત હેગડે
અનંત કુમાર હેગડે છેલ્લા 28 વર્ષથી ઉત્તરા કન્નડ લોકસભા સીટ પરથી જીતી રહ્યા છે. તેઓ 6 વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. તેમાંથી તેઓ સતત ચાર વખત ચૂંટણી જીતતા આવ્યા છે. પરંતુ આ વખતે તેમને ટિકિટ આપવામાં આવી નથી. હેગડે આવા નિવેદનો આપતા રહે છે જેના કારણે વિવાદ સર્જાય છે. તાજેતરમાં તેમણે એક નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે, ભાજપનો 400નો ટાર્ગેટ છે કારણ કે બંધારણ બદલવું એ અમારું લક્ષ્ય છે.
એક સભામાં તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે, બંધારણ હિન્દુઓ પર અત્યાચાર કરવા માટે છે તેથી તેને ફરીથી લખવાની જરૂર છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે બળજબરીથી તેમાં બિનજરૂરી વસ્તુઓ ભરી છે જેના કારણે બંધારણ તેના મૂળ સ્વરૂપથી વિકૃત થઈ ગયું છે. કોંગ્રેસે એવો કાયદો બનાવ્યો છે જેમાં હિન્દુ સમાજને દબાવવામાં આવે છે. જો આ બધું બદલવું હોય તો હાલની બહુમતી સાથે તે શક્ય નથી તેથી અમને 400 બેઠકોની જરૂર છે.
અન્ય નેતાઓની ટિકિટો પણ રદ કરવામાં આવી
જ્યારે પણ તેઓ આવા નિવેદનો કરે છે અને વિરોધ પક્ષો તેનો વિરોધ કરે છે ત્યારે ભાજપ અનંત હેગડેના નિવેદનથી દૂર રહે છે. પાર્ટીનું કહેવું છે કે, આ તેમનું અંગત નિવેદન છે. પરંતુ આ વખતે સંદેશ એકદમ સ્પષ્ટ છે કારણ કે અન્ય ઘણા મોટા નેતાઓની ટિકિટો પણ રદ કરવામાં આવી છે. હેગડે ઉપરાંત પ્રજ્ઞા સિંહ ઠાકુર, દિલ્હીના સાંસદ રમેશ વિધુરી, પરવેશ સાહિબ સિંહ વર્મા જેવા મોટા નેતાઓની ટિકિટ પણ રદ્દ કરવામાં આવી છે. આ વખતે અનંત કુમાર હેગડેને બદલે 6 વખતના ધારાસભ્ય અને કર્ણાટક વિધાનસભાના પૂર્વ સ્પીકર વિશ્વશેર હેગડેને ટિકિટ આપવામાં આવી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army