મહિસાગર: સરકારી બાબુઓ જો ભ્રષ્ટાચાર કરતા હોવ તો જરા ચેતી જજો કારણ કે આ અહેવાલ તમારા માટે લાલબત્તી સમાન છે. મહિસાગર જિલ્લા ડિસ્ટ્રીક્ટ કોર્ટે ભ્રષ્ટ તલાટી વિરૂદ્ધ કડક વલણ અપનાવ્યું છે.
રાબડિયાના તલાટી મનોજ ઉપાધ્યાયે વર્ષ 2015માં જમીન વારસાઈ માટે રૂપિયા 500ની લાંચ માગી હતી. જો કે આ મામલામાં તેઓ રંગે હાથ ઝડપાઇ જતાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
#Mahisagar જિલ્લામાં લાંચીયા તલાટી વિરૂદ્ધ #Court નું કડક વલણ રાબડીયાના તલાટી મનોજ ઉપાધ્યાયને કોર્ટે ફટકારી સજા કોર્ટે રૂ. 10 હજારનો દંડ અને 10 વર્ષની ફટકારી સજા
રૂ.500ની લાંચ લેવા મામલે કોર્ટે ફટકારી સજા વર્ષ 2015માં જમીન વારસાઇ માટે માગી હતી લાંચ pic.twitter.com/3ILPhWjjPA
ત્યારે તાજેતરમાં જેને ધ્યાનમાં રાખી કોર્ટે રૂપિયા 10 હજારનો દંડ સહિત 10 વર્ષની સજા ફટકારી છે. મહત્વનું છે કે રાજ્યમાં ભ્રષ્ટ અધિકારીઓ વિરૂદ્ધ વર્તમાન સમયમાં પણ મોટી સંખ્યામાં કેસ ચાલી રહ્યા છે. ત્યારે મહિસાગર જિલ્લા કોર્ટમાંથી બોધ લઈ રાજ્યની અન્ય કોર્ટ આ દિશામાં ક્યારે સકારાત્મક વલણ અપનાવશે તે જોવું રહ્યું.