ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લાં 13 વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ શોમાં આમ તો કલાકારો વચ્ચે ઘનિષ્ઠ પ્રેમ જોવા મળે છે. પરંતુ અવાર-નવાર કલાકારો વચ્ચે અનબન થયાની ચર્ચા થતી રહે છે. ઘણી વખત આ વિવાદ એટલો વધી જાય છે કે મીડિયામાં આ ચર્ચા સ્થાન બનાવી લે છે.
તારક મેહતાના કલાકારો વચ્ચે જોવા મળે છે ઘનિષ્ઠ પ્રેમ
અમુક મીડિયા રિપોર્ટસમાં કરવામાં આવ્યો છે દાવો
દિલીપ જોશી અને તેના દીકરા ટપ્પુ વચ્ચેના સંબંધોમાં આવી ખટાશ
શું ટપ્પુ અને જેઠાના સંબંધોમાં ખટાશ આવી?
આજે અમે તમને આ ટીવી સીરિયલ સાથે જોડાયેલા વિવાદ અંગે જણાવીશું કે જેની એક સમયે ખૂબ ચર્ચા થઇ હતી. અમુક મીડિયા રિપોર્ટસમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સીરિયલના લીડ એક્ટર દિલીપ જોશી અને તેના ઑનસ્ક્રીન દીકરો ટપ્પુ એટલેકે રાજ અનડકટ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. આ સમાચાર સામે આવ્યાં બાદ દિલીપ જોશીન સવાલ પણ પૂછવામાં આવ્યો. પરંતુ તેમણે આ વાતને નકારી દીધી હતી.
મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ દિલીપે સેટ્સ પર અવાર-નવાર મોડા આવવાને કારણે રાજને ખરીખોટી સંભળાવી હતી. મીડિયા રિપોર્ટસ મુજબ, દિલીપ સીરિયલના સૌથી સીનિયર અભિનેતા છે, પરંતુ તેમ છતાં તેઓ શૂટિંગ સમયે સમય પ્રમાણે આવી જાય છે. ટપ્પૂ એટલેકે રાજ અવાર-નવાર સેટ પર મોડા પહોંચતો હતો. કહેવાય છે કે રાજ આવુ વારંવાર કરતો હતો તેથી રાજ અનડકટની અનિયમિતતાના કારણે દિલીપ જોશીએ કલાક સુધી રાહ જોવી પડતી હતી. કહેવાય છે કે આ વાતથી નારાજ દિલીપે રાજ અનડકટને ખરીખોટી સંભળાવી હતી અને સમય મુજબ આપવાની સલાહ આપી હતી.