T20 World Cup 2021 માટે BCCIએ વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી ભારતીય ટીમની ઘોષણા કરી દીધી છે.
BCCIએ કરી દીધી છે ટીમ ઈન્ડિયાની ઘોષણા
ત્રણ ખેલાડીઓ રિઝર્વ
કેપ્ટનના દાવેદાર હતા અય્યર
T20 World Cup 2021 માટે BCCIએ ભારતીય ટીમની ઘોષણા કરી દીધી છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપ વાળી ટીમમાં ભારતના 15 સૌથી સારા ખેલાડીઓને જગ્યા આપી દીધી છે. જ્યારે ત્રણ ખેલાડીઓને રિઝર્વ રાખવામાં આવ્યા છે. પરંતુ 15 ખેલાડીઓની આ ટીમમાં અમુક દિગ્ગજ ક્રિકેટરોની જગ્યા પણ બનતી હતી પરંતુ સિલેક્ટર્સે તેમને બહારનો રસ્તો દેખાડી દીધો છે.
આ ખેલાડીઓ થયા બહાર
T20 World Cup 2021 માટે ભારતનની ટીમમાંથી સ્ટાર બેસ્ટમેન્ટ શ્રેયસ અય્યરને પણ બહાર કાઢી દેવામાં આવ્યા છે. અય્યર વર્લ્ડ કપ માટે રિઝર્વ રાખવામાં આવેલા ત્રણ ખેલાડીઓમાં શામે છે. પરંતુ તેમને મુખ્ય ટીમમાં જગ્યા નથી આપવામાં આવી. જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતથી તે ટીમના પરમનેન્ટ નંબર 4 બેસ્ટમેન હતા પરંતુ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ સીરીઝ બાદ તેમને એવી ઈજા પહોંચી કે તે લાંબા સમય સુધી ટીમથી બહાર થઈ ગયા. ત્યાર બાદ સૂર્યકુમાર યાદવે અય્યરની જગ્યા લઈ લીધી અને તે હવે તેમન પાક્કી પણ કરી ચુક્યા છે.
કેપ્ટનના દાવેદાર હતા અય્યર
આઈપીએલમાં સતત પોતાની ટીમને કામયાબી આપનાર શ્રેયસ અય્યર એક સમય ભારતીય ટીમના કેપ્ટન બનવાના મોટા દાવેદાર હતા. હકીકતે વિરાટ કોહલી અને રોહિત શર્માની રિટાયરમેન્ટ બાદ ભારતની પાસે કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ માટે મોટા દાવેદાર હતા. પરંતુ અય્યરને તો ત્યારે ટીમમાં પોતાની જગ્યા બનાવવી પણ મુશ્કેલ છે. ત્યાં જ આઈપીએલમાં પણ દિલ્હી કેપિટલ્સ ટીમના કેપ્ટન તેમની જગ્યા પર યુવા વિકેટકીપર ઋષભ પંતને પણ આપવામાં આવી છે. જણાવી દઈએ કે અય્યરની કેપ્ટનશીપમાં પણ ગયા વર્ષે દિલ્હીની ટીમે આઈપીએલ ફાઈનલ સુધીની સફર નક્કી કરી હતી.
ઈજા બાદ થયા હતા બહાર
ટીમમાં સૂર્યકુમારના આવ્યા પહેલા અય્યર સતત રમી રહ્યા હતા. પરંતુ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ઘરેલુ સીરીઝમાં અય્યરને એક એવી ઈજા પહોંચી હતી કે જેનાથી ઠીક થવામાં તેમને લાંબો સમય લાગ્યો હતો. હાલની પરિસ્થિતિને જોતા તો એવું લાગી રહ્યું છે કે ખૂદ કેપ્ટન વિરાટ કોહલી પણ અય્યરથી વધારે સુર્યકુમાર યાદવ પર જ ભરોશો કરે છે. તેની પાછળ એક મોટુ કારણ એ છે કે સૂર્યકુમારે ભારતીય ટીમ અને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે સારૂ પ્રદર્શન કર્યું છે.