સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને દુનિયાને અલવિદા કહી દીધું. સુશાંતે તેના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેની મોતના સમાચારથી સમગ્ર દેશ સ્તબ્ધ થઈ ગયો હતો. રિપોર્ટ્સ મુજબ તેની મોતનું કારણ સુસાઈડ હતું. ત્યારે સોશિયલ મીડિયા પર સુશાંતના ફ્રેન્ડ્સ અને ફેન્સ તેના જૂના વીડિયો અને ફોટોઝ શેર કરીને તેને યાદ કરી રહ્યાં છે. તો હવે સુશાંતનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સુશાંતને પૂછવામાં આવે છે કે તેને સૌથી વધુ ડર કઈ વસ્તુથી લાગે છે.
સુશાંતના જૂના વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યાં છે વાયરલ
સુશાંતે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેને મોતથી સૌથી વધુ ડર લાગે છે
સુશાંતના ફેન્સ હજી તેની મોત પર વિશ્વાસ નથી કરી શકી રહ્યાં. તેની યાદમાં તેના ફેન્સ સુશાંતના જૂના વીડિયો અને ફોટોઝ શેર કરીને એક્ટરને યાદ કરી રહ્યાં છે. જોકે, હવે તેનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવે છે કે તેને મોતથી ડર લાગે છે. જ્યારે તેને પૂછવામાં આવે છે કે, લાઈફમાં કઈ વસ્તુથી ડર લાગે છે તો તે જવાબમાં કહે છે, કદાચ મોત. તે કહે છે કે હું 3 કલાક માટે સૂઈ જઉં છું તો મને ખબર નથી હોતી કે હું કોણ છું. એ ભૂલી જવું કે તમે કોણ છો એ ઘણું જ ડરામણું હોય છે. આવું કદાચ ત્યારે જ થાય છે જ્યારે તમે મરી જાઓ છો.
A post shared by Nona Yousef (@nonasushantrajput) on
પોલીસ કરી રહી છે તપાસ
સુશાંતે કયા સંજોગોમાં સુસાઈડ કર્યું તેની તપાસ ચાલી રહી છે. મુંબઈ પોલીસ દરેક એંગલથી આ કેસની તપાસ કરી રહી છે. રિપોર્ટ્સ મુજબ સુશાંતની ડિપ્રેશનની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી. પોલીસ સુશાંતની પર્સનલ લાઈફથી લઈને પ્રોફેશનલ રાઈવલરી સુધી તમામ રીતે તેની મોત પાછળનું કારણ જાણવાની કોશિશ કરી રહી છે.