સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનએ તેના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પણ હજી સુધી તેના ફેન્સ અને મિત્રો આ આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. સુશાંતના ઘણાં મિત્રો સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી ચૂક્યા છે તો ઘણાં ઈન્ટરવ્યૂમાં સુશાંતની કેટલીક અજાણી વાતો જણાવી રહ્યાં છે. સુશાંતની સાથે સીરિયલ પવિત્ર રિશ્તામાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ મૃણાલિની ત્યાગીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે સુશાંત અને આત્મહત્યા બંને એકદમ અલગ વાતો છે અને એકસાથે આ બંને વિશે વિચારી પણ ન શકાય. તેણે જણાવ્યું કે, સુશાંત શાહરૂખ ખાનનો બહુ મોટો ફેન હતો.
સુશાંતની મોત બાદ તેના મિત્રો જણાવી રહ્યાં છે તેનાથી જોડાયેલી વાતો
પવિત્ર રિશ્તામાં સુશાંત સાથે કામ કરી ચૂકેલી એક્ટ્રેસ કહ્યું તે શાહરૂખનો બહુ મોટો ફેન હતો
સુશાંતની આત્મહત્યાને લઈને પણ જણાવી આ વાત
સુશાંતની સીરિયલ પવિત્ર રિશ્તામાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ મૃણાલિની ત્યાગીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, સુશાંત પણ શાહરૂખ ખાનની જેમ મન્નત જેવો બંગલો બનાવવો હતો. તેણે જણાવ્યું કે સુશાંતના સપના બહુ મોટા હતા. તે ખૂબ જ મહેનત કરતો હતો. તે હમેશાં કહેતો હતો કે આપણી પાસે એક એસઆરકે છે અને હવે ઈન્ડસ્ટ્રીને એક એસએસઆર મળશે. તે શાહરૂખનો બહુ પ્રેમ કરતો હતો. એ શાહરૂખની પૂજા કરતો હતો. સુશાંત શાહરૂખનો સિગ્નેચર પોઝ કરતો હતો.
વધુમાં તેણે જણાવ્યું કે, સુશાંત કહેતો હતો કે, તે બોલિવૂડનો નેક્સ્ટ બાદશાહ બનશે. તે મોટા સપના જોતો હતો અને હવે મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેણે પોતે પોતાનું જીવન ખતમ કરી દીધું. તે શાહરૂખના પગલે ચાલવા માંગતો હતો. પણ જે થયું એ ખૂબ જ દુઃખદ અને આઘાતજનક છે, કારણ કે આત્મહત્યા અને સુશાંત એકસાથે વિચારી ન શકાય.
તમને જણાવી દઈએ કે, સુશાંતની મોત બાદ બોલિવૂડના ઘણાં દિગ્ગજ સેલેબ્સ ટ્રોલર્સના નિશાના પર આવી ગયા છે. આ મામલે પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે અને સુશાંતના બધાં જ મિત્રોથી પૂછપરછ કરી રહી છે.