ટેલિવિઝનની દુનિયામાંથી ફિલ્મોમાં આવનાર સુશાંત સિંહ રાજપૂતે બાંદ્રામાં તેના ઘરે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. આ સમાચારથી બધાને આંચકો લાગ્યો છે. કાઇ પો છે, એમએસ ધોની, છિછોરે જેવી ફિલ્મો દ્વારા તેમણે ટીવી ઇન્ડસ્ટ્રી સિવાય બૉલીવુડમાં એક આગવું સ્થાન બનાવ્યું હતું. તેમની આત્મહત્યા બાદ તેમના દેહને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો અને ત્યાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. જો કે,મુંબઇના ઝોન-9ના DCPએ વડાએ નિવેદન આપ્યું હતું.
સુશાંત સિંહ રાજપૂતે આપઘાત કરવા મામલો
મુંબઇના ઝોન-9ના DCP અભિષેક ત્રિમુખેનું નિવેદન
અમને કોઈ શંકાસ્પદ ઓબ્જેક્ટ જાણવા મળ્યા નથી
નોંધનીય છે કે, મુંબઇના ઝોન-9ના DCP અભિષેક ત્રિમુખે નિવેદન આપ્યું હતું કે, એક્ટર સુશાંત સિંહ રાજપૂતનું મોત ગળેફાંસો ખાવાને કારણે થયું છે પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ પોલીસ તેના મોતનું ચોક્કસ કારણ કહી શકે છે. હજી સુધી, અમને કોઈ શંકાસ્પદ ઓબ્જેક્ટ જાણવા મળ્યા નથી.
Actor Sushant Singh Rajput has died apparently due to hanging but police can tell the exact cause of his death only after receiving post mortem report. So far, we have not found any suspicious object: Abhishek Trimukhe, DCP Zone 9, Mumbai pic.twitter.com/AqKWwWpW4n
પીએમ નરેન્દ્ર મોદીએ ટિ્વટ કરીને વધુમાં લખ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂત ... એક તેજસ્વી યુવાન અભિનેતા ખૂબ ઝડપથી ચાલ્યો ગયો. તેણે ટીવી અને ફિલ્મોમાં કામ કર્યું હતું. મનોરંજનની દુનિયામાં તેની સફળતાએ ઘણાને પ્રેરણા આપી અને ઘણા યાદગાર અભિનય પાછળ છોડી દીધા. તેના પરિવાર અને ચાહકો પ્રત્યેની મારી સંવેદના. ઓમ શાંતિ.
સચિન અને વિરાટે દુઃખ વ્યક્ત કર્યું
માસ્ટર બ્લાસ્ટર સચિને પોતાના શોક સંદેશમાં લખ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત વિશે સાંભળીને ખૂબ દુઃખી છું. તે એક યુવાન અને પ્રતિભાશાળી અભિનેતા હતો. ઈશ્વર તેમની આત્માને શાંતિ અર્પે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત વિશે સાંભળીને ખૂબ ચકિત છું. આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. તેમની આત્માને શાંતિ મળે અને ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
સુશાંતે છેલ્લી પોસ્ટ તેની માતા માટે લખી હતી
સુશાંતે સોશિયલ મીડિયા પર છેલ્લી પોસ્ટ તેની માતા માટે લખી હતી. સુશાંતે ઈન્સ્ટાગ્રામ પર તેની છેલ્લી પોસ્ટમાં લખ્યું- આંસુઓથી ધૂંધળા ભૂતકાળનું બાષ્પીભવન થઈ રહ્યું છે. સ્મિતના એક આર્કની કોતરણી કરતાં સપના અને ક્ષણભંગુર જીવન. બંને વચ્ચેની વાતચીત. તમને જણાવી દઈએ કે, સુશાંત જ્યારે 16 વર્ષનો હતો ત્યારે તેની માતાનું નિધન થઈ ગયું હતું. સુશાંત માતાની ખૂબ નજીક હતો અને અવારનવાર તેમની સાથેની તસવીરો શેર કરતો હતો.
આપઘાતનું કારણ અકળ
આપઘાત પાછળનું હજુ કારણ બહાર આવ્યું નથી. સુશાંતે હજી લગ્ન કર્યા નહોતા. સુશાંતની રિલેશનશિપ્સની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી તેનું નામ અભિનેત્રી રિયા ચક્રવર્તી સાથે ચર્ચાતું હતું. પરંતુ અંકિતા લોખંડે સાથે સુશાંતના સંબંધોને એક સમયે ટાંકવામાં આવતા હતા. હસમુખ ચહેરો ધરાવતા સુશાંતને ઝી ટીવીની સિરિયલ પવિત્ર રિશ્તામાં ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. અંકિતા સાથેની તેમની જોડીને સૌ કોઈ દ્વારા પસંદ કરવામાં આવી હતી. દરેક માતા પિતા તેમના જેવા પુત્ર અને પુત્રવધૂ ઇચ્છતા હતા.