સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા ખુબ સફળ રહી હતી પરંતુ તમને ખબર છે કે તે શૂટિંગ પૂરુ કર્યા પહેલા જ મૃત્યુ પામ્યો હતો અને વોઇસ ઓવર આર્ટિસ્ટે ડબિંગ પુરુ કર્યુ હતુ.
દિલ બેચારાની શૂટિંગ તો ઘણો સમય પહેલા જ પતી ગયુ હતુ પરંતુ તેના છેલ્લા સીનનુ શૂટિંગ હજુ પણ બાકી હતુ. સુશાંત ક્લાઇમેક્સ સીન કર્યા વગર જ મૃત્યુ પામ્યો હતો બાદમાં ડબિંગ આર્ટિસ્ટ દ્વારા તે સીન કરાવીને ફિલ્મને રિલીઝ કરવામાં આવી હતી.
આર જે આદિત્ય નામના યુવાને સુશાંતના છેલ્લા સીનનુ ડબિંગ કર્યુ હતુ. મુકેશ છાબડાએ આદિત્ય સાથે સંપર્ક કર્યો અને ધોની ફિલ્મના એક સીનનુ ડબિંગ કરવા કહ્યુ હતુ. આદિત્યને કહ્યું કે તેને સુશાંતના અવાજ માટે ઘણી પ્રેક્ટિસ કરવી પડશે. જ્યારે આદિત્યએ પોતાની ઓડિયો ક્લિપ મોકલી ત્યારે મુકેશ છાબડા તરફથી ફોન આવી ગયો હતો.
આર જે આદિત્યએ કહ્યું કે આ સીન કરવા માટે માત્ર સુશાંતનો અવાજ નહોતો કાઢવાનો પરંતુ તે ઇમોશન્સ પણ પકડવાના હતા. તેના માટે આદિત્યએ બે દિવસની એક્સ્ટ્રા તૈયારી કરી હતી. સોશ્યલ મિડીયા પર તેણે ઓડિશનવાળી ક્લિપ પણ શેર કરી છે.
સુશાંત સિંહ રાજપૂત પર બની ફિલ્મ
આ ફિલ્મમાં સુશાંતની ભૂમિકામાં ઝૂબેર નજર આવશે. તો બીજી તરફ રિયાની ભૂમિકામાં શ્રેયા દેખાશે. ફિલ્મમાં સુશાંતના પિતાની ભૂમિકામાં અસરાની દેખાશે. ફિલ્મને 11 જુનના રોજ સુશાંત સિંહ રાજપૂતના નિધનને એક વર્ષ પુર્ણ થવા પર રિલીઝ કરવામાં આવશે.
ટિઝર અને પોસ્ટર રિલીઝ
વિકાસ પ્રોડક્શન અંતર્ગત બનેલી આ ફિલ્મ ન્યાયનું પોસ્ટર અને ટીઝર આજે રિલીઝ થઇ ગયુ છે. ફિલ્મ સુશાંતની મોતની પઝલ પર બની છે. સુશાંતના બધા જ ફેન્સ આ ફિલ્મની રાહ જોઇ રહ્યાં છે. ફિલ્મનુ ટીઝર 58 સેકન્ડનું છે અને તેની ધમાકેદાર શરૂઆત થઇ છે.
આવુ છે ટીઝર
ટીઝરની શરૂઆતમાં ફેમસ એક્ટર મહિંદર સિંહની મોતની બ્રેકિંગ ચાલે છે જેણે પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે. જેવી રીતે ટીઝર આગળ વધે છે તેમ સુશાંત સિંહ રાજપૂતનો કેસ સામે આવે છે. ઘણી તપાસ એજન્સી આ કેસની તપાસ કરતી જોવા મળે છે. હેરાન પરેશાન બાપ નજર આવશે અને ટીઝરમાં સુશાંતની ગર્લફ્રેન્ડ પણ બતાવવામાં આવી છે.
દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'છિછોરે' ને બેસ્ટ હિન્દી ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે, અને તાજેતરમાં જ ઘણા વિવાદોમાં આવેલી અભિનેત્રી કંગના રનૌતને બેસ્ટ એક્ટ્રેસ તરીકેનો એવોર્ડ આપવાનું એલાન કરવામાં આવ્યું છે.
દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'છિછોરે' ને બેસ્ટ હિન્દી ફિલ્મનો નેશનલ એવોર્ડ એનાયત થશે અને તે જ સમયે, કંગના રનૌતને 'મણિકર્ણિકા: ઝાંસીકી રાણી' અને 'પંગા' માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવાની ઘોષણા કરવામાં આવી છે. ફિલ્મ 'છિછોરે'નું નિર્દેશન 'દંગલ' ડિરેક્ટર નિતેશ તિવારી દ્વારા કરાયું છે. મનોજ બાજપેયીને હિન્દી ફિલ્મ 'ભોંસ્લે' માટે શ્રેષ્ઠ અભિનેતા અને ધનુષને તમિળ ફિલ્મ 'અસુરન' માટે એવોર્ડ એનાયત કરાશે.