ભારતીય ક્રિકેટ ટીમ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે ટી20 સીરીઝની ત્રણ મેચ રમશે. આ શ્રેણી 18 થી 30 નવેમ્બર સુધી ચાલશે. ત્રણ મેચની શરૂઆત 25 નવેમ્બરથી થશે.
ભારત-ન્યુઝીલેન્ડની વચ્ચે 25 નવેમ્બરથી ટી20 સીરીઝનો પ્રારંભ
ભારતીય ટીમની કેપ્ટનશિપ શિખર ધવન કરશે
ટીમના ત્રણ ખેલાડીઓ હળવા મૂડમાં જોવા મળ્યાં
ભારતીય ટીમ ન્યુઝીલેન્ડના પ્રવાસે
પહેલી વન-ડે મેચ ઈડન પાર્કમાં રમાશે. વન-ડે સીરીઝમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ શિખર ધવન કરશે. ભારતીય ક્રિકેટ ટીમ શનિવારે ન્યુઝીલેન્ડ પ્રવાસ માટે રવાના થઇ. ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપમાં યજમાન ન્યુઝીલેન્ડની સામે ત્રણ મેચની ટી20 સીરીઝ રમશે. ટી20 શ્રેણી બાદ બંને ટીમોની વચ્ચે આટલી મેચની વન-ડે સીરીઝ રમાશે. પંડ્યા સહિત સૂર્યકુમાર યાદવ, લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને રિષભ પંત એડિલેડ એરપોર્ટ પરથી સીધા ન્યુઝીલેન્ડ માટે રવાના થયા.
ટીમના ત્રણ ખેલાડીઓ એકબીજાની ઉપર માથુ રાખીને ઊંઘતા દેખાયા
ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટર સૂર્યકુમાર યાદવ, યુઝવેન્દ્ર ચહલ અને વિકેટ કીપર રિષભ પંત એડિલેડ એરપોર્ટ પર એકબીજાની ઉપર માથુ રાખીને ફ્લોર પર ઊંઘતા દેખાયા. યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ આ ફોટો પાડ્યો છે. ધનશ્રી વર્માએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ ફોટોને શેર કર્યા છે. જોતજોતામાં આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા.