કેન્દ્રીય રાજ્યમંત્રી સુરેશ અંગડીએ અર્થવ્યવસ્થામાં સુસ્તીને લઇને અજીબોગરીબ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ટ્રેન અને એરપોર્ટ ફુલ છે, લોકોના લગ્ન થઇ રહ્યા છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે, દેશની અર્થવ્યવસ્થા સારુ કરી રહી છે.
મોદી સરકારના મંત્રીનો બફાટ
દેશની અર્થ વ્યવસ્થાને લઇ આપ્યું નિવેદન
અર્થ વ્યવસ્થા દર ત્રણ વર્ષે મંદ પડે અને પછી ટૂંક સમયમાં ગતિ પકડે
સુરેશ અંગડીએ વધુમાં જણાવ્યું કે, અર્થવ્યવસ્થા દરેક 3 વર્ષ બાદ ધીમી પડે છે અને તે ફરીથી ગતિ પકડે છે. ભારતીય અર્થવ્યવસ્થા પણ ટૂંક સમયમાં જ ગતિ પકડશે. અંગડીએ વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છબિ બગાડવા માગે છે તેઓ એટલે આ પ્રકારની વાતો કરતા રહે છે.
મોદી સરકારના મંત્રીનું નિવેદન
રેલવે રાજ્યમંત્રી અંગડીએ કહ્યું કે દેશની અર્થ વ્યવસ્થા ખુબ જ સારુ કરી રહ્યા છે, તેનો અંદાજો લગાવી શકાય છે કે, ખૂબ જ લગ્ન થઇ રહી છે, ટ્રેન અને એરપોર્ટ ફુલ છે. તેનાથી પહેલા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પણ આ પ્રકારનું જ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ફિલ્મો કરોડોનો કારોબાર કરી રહ્યા છે તો પછી દેશમાં મંદી કેવી ?
મંદીનો મુદ્દો શિયાળુ સત્રમાં ઉઠે તેવી શક્યતા
નોંધનીય છે કે, કોંગ્રેસ સહિત કેટલાય વિપક્ષની પાર્ટીઓ અર્થ વ્યવસ્થામાં મંદીનો હવાલો આપતા કેન્દ્ર સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સંસદના આગામી શિયાળુ સત્રમાં આ મુદ્દો જોર-શોરથી ઉઠવાની શક્યતા છે.