સુરેન્દ્રનગર પાલિકા વિવાદમાં ફસાઇ છે. પાલિકાના કોન્ટ્રાકટ બેઇઝ સફાઇ કામદારના નિધન બાદ પરિવારે કોન્ટ્રાકટર પર આક્ષેપ કર્યો છે કે પગાર ન ચૂકવતાં ચિંતાના કારણે નિધન થયું છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે છેલ્લા 4 થી 5 મહિનાથી કોન્ટ્રકટરો દ્વારા પગાર નહીં ચૂકવામાં આવતો હોવાનો દાવો કર્યો છે.
સુરેન્દ્રનગર પાલિકાના સફાઇ કામદારના નિધનથી વિવાદ
પરિવારે કોન્ટ્રાકટર દ્વારા પગાર ન ચૂકવતા હોવાનો કર્યો આક્ષેપ
સુરેન્દ્રનગર પાલિકાના સફાઈ કામદારના નિધનથી વિવાદ થયો છે. કોન્ટ્રાક્ટ બેઇઝ આ સફાઈ કામદારનું મૃત્યુ થતા પરિવારે આક્ષેપ કર્યા છે. તેમણે આક્ષેપ કર્યા છે કે પગાર ન ચૂકવતાં ચિંતાના કારણે તેમનું નિધન થયુ છે. છેલ્લા 4-5 માસથી કોન્ટ્રાક્ટરો પગાર નહીં ચુકવતા હોવાનો દાવો કર્યો છે.
મોડીરાતે પરિવારજનો અને આગેવાનોએ પાલિકા કચેરીએ ધરણાં કર્યાં છે. આ સાથે મૃતકના પરિવારજનને રોજમદાર કામદાર તરીકે લેવાની માંગ કરી છે. અગાઉ પણ પાલિકા તંત્ર સામે કામદારોએ વિરોધ પણ કર્યો હતો.
જો આ પ્રમાણે પરિવારની માંગ પૂરી નહીં થાય તો મૃતદેહને કચેરીએ લાવવાની ચિમકી ઉચ્ચારી છે. તેમજ અન્ય કામદારોએ પણ પગાર ન ચુકવવાની ઉગ્ર માંગણી કરી છે.