છેલ્લા કેટલાંય દિવસોથી ભારતના વિવિધ રાજ્યો પુરની ચપેટમાં આવ્યા છે ત્યારે આ કુદરતી આપત્તિનો સીધો માર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર પડી છે. સુરતથી જતા પાર્સલો ટ્રાન્સપોર્ટેશન ખોરવાઇ જવાને કારણે અટકી પડ્યા છે એટલે કે શ્રાવણ મહિનાનો જે વ્યાપાર હતો તે વ્યાપારમાં નુકશાની ઉઠાવવાનો વારો આવ્યો છે.