સુરતમાં ગુરૂવારે 20 કરોડના હીરાની લૂંટ થઈ હતી. આ ઘટનાના 24 કલાક બાદ પણ પોલીસ હજી સુધી અંધારામાં છે. આ મામલે પોલીસને હજી સુધી કોઈ સબૂત મળ્યા નથી. આ મમાલે ATS ક્રાઈમબ્રાંચ સહિતની 14 ટીમો તપાસ કરી રહી છે.
મહત્વનુ છે કે આ મામલે પોલીસે કમિશ્નરે હીરા ઉદ્યોગકારો સાથે બેઠક પણ કરી હતી અને અત્યાર સુધી પોલીસને કોઈ સબૂત મળ્યો નથી ત્યારે હવે આ મામલે પોલીસ કેવી રીતે તપાસ કરશે તે આગળના દિવસોમાં જોવાનુ રહેશે. સુરતમાં 20 કરોડની હીરા લૂંટ મામલે હજુ પણ આરોપી પોલીસ પકડથી બહાર ક્રાઈમ બ્રાન્ચ અને ATSએ તપાસ શરૂ કરી છે.