ગુજરાતમાં કોરોનાનો કહેર સતત ફેલાઈ રહ્યો છે ત્યારે લૉકડાઉનમાં ફરજ બજાવી રહેલા પોલીસકર્મીઓએ નવો નુસખો અપનાવ્યો છે. જી હા, સુરતમાં સલાબતપુરા પોલીસ સ્ટેશન દ્વારા નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. પોલીસ કર્મચારી, અધિકારી કે ફરિયાદી માટે ગાઇડલાઇન મુજબ કામ કરવાનું રહેશે. જાણો શું છે નવી ગાઈડલાઈન અને તેનાથી કોને શું થશે ફાયદો. સાથે જ નિયમનો ભંગ કરવા માટે થશે કેટલો દંડ?
કોરોના વાયરસનો કહેર
સુરતમાં અહીં પોલીસે નવી ગાઈડલાઈન જાહેર કરી
ફરિયાદીએ 1 મીટરના અંતરથી જ વાત કરવી
સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં કોઇ પણ વ્યક્તિએ પ્રવેશતા પહેલા ખિસ્સામાં હાથ રાખવો પડશે. પોલીસ સ્ટેશનમાં અંદર પ્રવેશ કર્યા બાદ પહેલા હાથ ધોવાના રહેશે. ફરિયાદીએ 1 મીટરના અંતરથી જ વાત કરવી અને પોલીસ સ્ટેશનની અંદર કોઈપણ ચીજવસ્તુને અડવુ નહીં. અને જો કોઇ પણ આ ગાઇડલાઇનનું પાલન નહીં કરે તો તેને 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે.
અગાઉ પણ સુરત પોલીસ આ કારણે આવી ચૂકી છે ચર્ચામાં
લોકડાઉનના કડક અમલ માટે સુરત પોલીસની મુહિમ શરૂ કરવામં આવી હતી. આ સમયે પોલીસે કામ સિવાય બહાર નિકળતા લોકોના ફોટા પાડીને મોકલવા અપીલ કરી હતી.
સાથે જ આ ફોટો પાડીને ફેસબુક પર અપલોડ કરવાની અપીલ પણ કરી હતી. લૉકડાઉનમાં સુરત પોલીસની આ મુહિમને સારો પ્રતિસાદ મળ્યો હતો.
સુરતમાં થઈ પોલીસ અને લોકો વચ્ચે બબાલ
લોકડાઉન હોવા છતા સુરતમાં લોકો રસ્તા પર નિકળ્યા હતા. આ સમયે કામ વગર જ બહાર નિકળતા લોકોને પોલીસે અટકાવ્યા હતા. આ સમયે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. ઘર્ષણને લઈને એક વ્યક્તિને પોલીસ મથકે લઈ જવાયો હતો.