બેદરકારી / સુરતની નવી સિવિલના કોરોના વોર્ડમાંથી બે દિવસ પહેલા ભાગેલા કોરોના પોઝિટિવ દર્દીનો મૃતદેહ પીએમ રૂમ બહાર મળી આવ્યો

Surat new civil hospital found corona positive patient dead body coronavirus

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી બે દિવસ પહેલાં(28 એપ્રિલ) કોરોનાનો પોઝિટિવ દર્દી ભાગી જવાની ઘટના સામે આવી હતી. જેને લઇને હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી. 50 વર્ષીય ભગવાન રાણા નામના દર્દી હોસ્પિટલમાંથી ભાગી જતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. G3 વોર્ડમાંથી કોરોના પોઝિટિવ દર્દી ભાગી જતા પોલીસની જાણ કરવામાં આવી હતી. ખટોદરા પોલીસે નાસી ગયેલા દર્દીને ઝડપી પાડવા તપાસ હાથધરી હતી. ત્યારે આજે (ગુરૂવાર) કોરોના પોઝિટિવ દર્દીનો મૃતદેહ સિવિલ હોસ્પિટલમાંથી મળી આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ