ગુજરાતમાં અમદાવાદ બાદ હવે સુરતમાં કોરોનાએ માથું ઊંચક્યું છે અને અહીં દિવસેને દિવસે કોરોનાના કેસ વધતાં જઈ રહ્યાં છે. આવામાં મંગળવારે એવા સમાચાર મળ્યાં હતાં કે શહેરની ન્યૂ સિવિલ હોસ્પિટલમાં ઓછામાં ઓછાં 11 ડૉક્ટર્સ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવી રહ્યાં છે.
સુરતમાં કોરોનાનો હાહાકાર
અમદાવાદ બાદ સુરતમાં સૌથી વધુ કેસ નોંધાયા
અનલૉક બાદ સુરતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું
સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલમાં લગભગ 11 જેટલાં ડૉક્ટર્સ કોરોના પોઝિટિવ થયાં છે. જ્યારે આજે આવેલા 204 કેસમાં આ ડૉક્ટર્સ સહિત 2 નર્સ, કામરેજના ભાજપના ધારાસભ્ય વી.ડી ઝાલાવાડિયા અને કામરેજ પ્રાઈમરી હેલ્થ સેન્ટરના ફાર્માસીસ્ટ પણ કોરોના પોઝિટિવ થયાના સમાચાર છે.
ઉલ્લેખનીય છે કે સુરતમાં આજે મંગળવારે શહેર (204) અને ગ્રામ્ય (45) એમ મળીને કુલ 249 કેસ આવ્યાં હતાં. આ આંકડો સુરતમાં સતત સાતમા દિવસે 200થી વધુ કેસ નોંધાવનારો હતો.
કતારગામ ઝોન સુરતમાં કોરોના હોટસ્પોટ છે અને શહેરમાં અહીંથી સૌથી વધુ કેસ આવે છે. મંગળવારે અહીં 40 નવા કેસ નોંધાયા હતા જ્યારે વરાછા (A)માં 37, વરાછા (B)માં 29, રાંદેરમાં 26 અને લિંબાયત ઝોનમાં 22 કેસ નોંધાયા હતાં.