સુરતમાં બેંક લોનના હપ્તા ન ભરાતા આર્થિક સંકડામણના કારણે માતા-દીકરાએ બેંક લોનના હપ્તા ન ભરાતા ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું છે. જો કે આ અગાઉ પત્ની-દીકરાને પિયર મુકી આવ્યાં બાદ આપઘાત કર્યો.
સુરત શહેરમાં આપઘાતના પ્રમાણમાં વધારો
આર્થિક સંકડામણના કારણે માતા-દીકરાનો આપઘાત
બેંક લોનના હપ્તા ન ભરાતા ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
કોરોના કાળમાં આપઘાતના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સુરતમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા એક માતા અને દીકરાએ આર્થિક સંકડામણના કારણે આપઘાત કરી લીધો.
આપઘાત કરનાર યુવક બે દિવસથી મિત્ર સાથે આપઘાતને લગતી વાતો કરતો હતો જોકે સવારે તે ફોન નહીં ઉપાડતા મિત્રો તેના ઘરે પહોંચી ગયા હતા અને માતાને પુત્રનો લટકતો મૃતદેહ જોઇ હેબતાઈ ગયા.
દરવાજો ખોલતા જ મહર્ષિ અને તેની માતા પંખા પર દુપટ્ટા સાથે લટકતી હાલતમાં મળી આવ્યા હતા જેને લઇને તેણે સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. થોડા દિવસ અગાઉ મહર્ષિ અને તેના મિત્રો એમજ સંબંધીઓ પર કોઈ કંપનીના પૈસાને લઇને મેસેજ ગયા હતા જેથી લોન કે દેવું અને બદનામીના ડરથી આપઘાત કર્યા હોવાની શક્યતા છે.