કોરોનાની મહામારી હવે નેગેટીવીટી ફેલાવી રહી છે લોકો હતાશ અને નિરાશા તરફ ધકેલાઈ રહ્યા છે. જેને કારણે લોકો આપઘાત તરફ વળી રહ્યા છે. ગઈકાલે અમદાવાદમાં અને આજે સુરતમાં કોરોનાના એક દર્દીએ આપઘાત કરી દીધો છે.
સુરત કોવિડ સેન્ટરમાં દર્દીનો આપઘાત
વેસુમાં સમરસ હોસ્ટેલમાં આપઘાત
કંટાળો આવતો હોવાનું આપ્યું હતું કારણ
સુરતના વેસુ વિસ્તારમાં સમરસ હોસ્ટેલમાં દર્દીએ આપઘાત કર્યો છે. દર્દીએ નવમાં માળેથી બાથરૂમની બારીમાંથી મોતની છલાંગ લગાવી હતી.
શિવદયાલ લીલારે નામના દર્દીએ મોતની છલાંગ લગાવી હતી. સવારે 5 વાગ્યે મિત્ર સાથે વાત કરી હતી. કોવિડ સેન્ટરમાં કંટાળો આવતો હોવાનું કારણ આપ્યું હતું. દર્દી ટ્રાવેલ્સ કંપનીમાં સામાન ચડાવવાનું કામ કરતો હતો.
જમાલપુરમાં પણ કોવિડ સેન્ટરમાં એક દર્દીઓ કર્યો હતો આપઘાત
ગઈ કાલે મણીનગર પુર્વમાં સુરભી એપાર્ટમેન્ટમાં રહેતા 61 વર્ષના એન્ડ્રૂઝ રસીકલાલ મેકવાનને કોરોના થતા દાણીલીમડાની શીફા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન 29 સપ્ટેમ્બર 2020ના રોજ તેમણે હોસ્પિટલના ચોથા માળેથી પડતુ મુકીને આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસને જાણ કરાતા દાણીલીમડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ એન્ડ્રૂઝ મેકવાનને કોરોના થતા સારવાર માટે 20 સપ્ટેમ્બરના રોજ શીફા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દરમિયાન આજે બપોરે તેમણે હોસ્પિટલના સ્ટાફની નજર ચુકવીને ચોથા માળેથી નીચે પડતુ મુકીને જીવન ટુંકાવ્યું હતું. દાણીલીમડા પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે.