Surat Civil Hospital ની એક ગંભીર બેદરકારી સામે આવી હતી જેમાં એક કોરોનાનો દર્દી ગુમ થઈ ગયો હતો. હવે આ દર્દી બીજા કોને કોને અને કેટલા લોકોને સંક્રમણ ફેલાવશે એ તો કોઈ જાણતું નથી.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાનો દર્દી ગુમ
એક તરફ કોરોનાનાં સતત વધી રહેલા કેસના કારણે ટેન્શન વધ્યું છે તો બીજી તરફ હજુ તંત્ર ક્યાંક ને ક્યાંક જાગ્રત બન્યું હોય એવું નથી લાગી રહ્યું. સુરતમાં ગઈકાલે તંત્રની આવી જ બેદરકારી સામે આવી હતી. જેમાં કોરોનાનો એક દર્દી ગાયબ થઈ ગયો હતો.
60 વર્ષીય દર્દીનો રેપિડ ટેસ્ટ આવ્યો હતો પોઝિટિવ
આ દર્દીને તબીબ દ્વારા RTPCR ટેસ્ટ માટે કોવિડ-19 હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. તેનો રેપિડ ટેસ્ટ પોઝિટવ આવ્યો હતો અને તેને સત્તાધારીઓમાંથી કોઈએ સાથે રહેવા ન્હોતું કહ્યું. કોઈએ દર્દી ક્યાં ગયો તેની ભાળ લીધી નથી. માટે તે સ્થળ છોડી નાસી ગયો હોવાની શંકા જાગી હતી. ડોક્ટરે ટેસ્ટ કરવા મોકલ્યો હતો પણ બાદમાં દર્દી કોવિડ 19 હોસ્પિટલ પહોંચ્યો જ નહીં જેના કારણે હવે તે ખુલ્લેઆમ ફરી રહ્યો હોવાની શંકા છે.
ખંડેસરા વિસ્તારનો વૃદ્ધ
મળેલી માહિતી અનુસાર 60 વર્ષીય વૃદ્ધને પેટમાં દુખાવાની કમ્પ્લેઇન લઈને દર્દી હોસ્પિટલ પહોંચ્યો હતો જ્યાં બાદમાં તબીબોને શંકા જતાં તેનો રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યાંર બાદ તેને કોવિડ હોસ્પિટલ મોકલી દેવામાં અવ્યો હતો. પરંતુ પરિવારજનો અને દર્દી કોઈ ત્યાં પહોંચ્યું ન્હોતું. ઊલટું તેઓ હોસ્પિટલ તંત્રનો વાંક કાઢતા હોવાની માહિતી મળી હતી.
તંત્રની ગંભીર બેદરકારી
હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસ અને મનપામાં જાણ કરવામાં આવી હતી પરંતુ આ તો હવે ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળાં મારવા જેવી વાત થઈ. કારણ કે હવે આ દર્દી આજસુધીમાં કેટલા લોકોના સંપર્કમાં આવશે એ તો રામ જાણે! પણ તંત્રની આવી બેદરકારી કેટલા લોકો માટે જીવલેણ નીવડે છે તે તો સમય જ કહેશે.